SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન () ૬૭ છે. જે જે કાર્યોમાં દેવદ્રવ્ય કામ ન આવતું હોય ત્યાં “સાધારણ દ્રવ્ય' કામ આવે છે. એટલે કે મંદિરની વ્યવસ્થાનું અને પૂજનસામગ્રીનું ખર્ચ પ્રાયઃ સાધારણ દ્રવ્યમાંથી કરવાનું છે. તમે લોકો સાધારણ ખાતામાં ખૂબ ઓછા રૂપિયા આપો છો, અને ખર્ચ વધારે થાય છે ! ટ્રસ્ટીઓ પોતાના ગજવામાંથી ખોટ-પૂર્તિ કરતા નથી ! કેટલાક ટ્રસ્ટીઓ દેવદ્રવ્યનો ઉપયોગ કરી દે છે ! એથી ખૂબ દોષ લાગે છે. જેવી રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પૂર્વાચાર્યોએ કેટલાક ઉપાયો બતાવ્યા છે, એ રીતે સાધારણ દ્રવ્યની વૃદ્ધિ માટે વર્તમાન કાળના આચાદવોએ ઉપાય બતાવવા જોઈએ. દરેક સાલ ફંડફાળા કરવાથી જેટલી જરૂરી હોય તેટલું સાધારણ દ્રવ્ય મળતું નથી. જે રીતે ૧૪ સ્વપ્નોની બોલી બોલાય છે એ રીતે સાધારણદ્રવ્યની વૃદ્ધિ અર્થે કોઈ બોલીનું આયોજન કરવું જોઈએ. તમે બોલી (ઉછામણી)માં લાખો રૂપિયા આપો છો. સભામાંથી બોલી બોલવામાં અમને લોકોને જુસ્સો આવી જાય છે. મહારાજશ્રી ઃ સારું છે ને ? એ રીતે પણ પૈસાનો ત્યાગ થઈ જાય છે ને! જે રસ્તાથી પૈસા છૂટે એ રસ્તો સારો. સાધારણ દ્રવ્ય માટે મારે તમારી પાસેથી પૈસા છોડાવવાના છે ! કોઈ બોલીનું આયોજન કરવું પડશે. અન્યથા દેવદ્રવ્યનો દુરુપયોગ થશે! સભામાંથીઃ દેવદ્રવ્યના રૂપિયા ઉપાશ્રય-ધર્મશાળામાં વાપરી શકાય ખરા? મહારાજશ્રી ન વાપરવા જોઈએ. તમારે ધમરાધના કરવા માટે ઉપાશ્રય, ધર્મશાળા જરૂરી હોય તો તમારા પૈસાથી બનાવો. દેવદ્રવ્યનું આયોજન કદી ન કરો. કર્યું હોય તો વ્યાજસહિત પૈસા મંદિરમાં પાછા આપી દેજો. નહીંતર મહાપાપના ભાગીદાર બનશો. દેવદ્રવ્ય સાથે કદીયે રમત ન કરવી. સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરતા રહેશો તો દેવદ્રવ્ય સુરક્ષિત રહેશે. ઉ. મહાપૂજાઃ છઠું વાર્ષિક કર્તવ્ય છે મહાપૂજાનું. એટલે કે શ્રાવક-શ્રાવિકાએ વર્ષમાં એક વાર પણ મહાપૂજા કરાવવી જોઈએ, જો આર્થિક સ્થિતિ સારી હોય તો. જિનમંદિરમાં, ઉપાશ્રયમાં, અથવા પોતાને ઘેર પણ મહાપૂજા કરાવી શકો છે. લઘુ શાન્તિસ્નાત્ર, બૃહતુશાન્તિસ્નાત્ર, સિદ્ધચક્ર મહાપૂજન વગેરે મહાપૂજા કહેવાય છે. જો આર્થિક સ્થિતિ બહુ સારી ન હોય તો પંચકલ્યાણકપૂજા, નવપદપૂજા ભણાવી શકો છો. પરંતુ વર્ષમાં એક વાર એવી મહાપૂજા થવી જોઈએ. આ કર્તવ્ય Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy