SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ પર્વ-પ્રવચનમાળા છે. પ્રભુભક્તિના આવા પ્રસંગોમાં વિશેષરૂપે રાત્રિભોજન બંધ થવું જ જોઈએ. પ્રભુભક્તિ ભાવપૂર્ણ અને અર્થગંભીર ગીતોથી કરવી જોઈએ. બની શકે તો ત્યાં શાસ્ત્રીય રાગોમાં ગીતો ગાવાં જોઈએ. લોકગીતોના લયમાં પણ ગાઈ શકો છો. શાન્ત અને શાસ્ત્રીય રાગોના ગીતોની તરજમાં પણ ગાઈ શકાય છે. ગાનાર અને સાંભળનારની ભાવશુદ્ધિ અને ભાવવૃદ્ધિ થાય એ દ્રષ્ટિએ ગીતોની પસંદગી કરવી જોઈએ. બીજી યાત્રા છે રથયાત્રા. રથયાત્રા માટે ‘વરઘોડો’ શબ્દ રૂઢ થઈ ગયો છે, પરંતુ એ શબ્દ બદલવો જોઈએ. રથયાત્રા શબ્દનું પ્રચલન થવું જોઈએ. વર્ષમાં એકવાર પણ રથયાત્રાનું આયોજન કરવું જોઈએ. સુખી સદ્ગુહસ્થ આ આયોજન કરી શકે છે. ખાસ તો પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પછી પ્રાયઃ દરેક ગામમાં રથયાત્રા નીકળે છે. અથવા મોટા મહોત્સવના આયોજનમાં રથયાત્રા નીકળે છે. સભામાંથી રથયાત્રા કાઢવાનું પ્રયોજન શું છે? મહારાજશ્રીઃ કારણ કે સર્વ વર્ગના લોકો આપણા મંદિરોમાં આવી શકતા નથી. જે લોકો મંદિરમાં આવીને પરમાત્માનાં દર્શન કરી શકતા નથી, તેઓ રથયાત્રા દરમ્યાન રથમાં બિરાજિત પરમાત્માનાં દર્શન કરી શકે છે. જે લોકો આળસને કારણે, યા માન્યતાને કારણે યા તો અન્ય કોઈ કારણથી મંદિરમાં જઈ શકતા નથી એ લોકો પણ રથયાત્રામાં પરમાત્માનાં દર્શન કરી શકે. સર્વ લોકો વીતરાગ પરમાત્માનાં દર્શન દૂરથી કરી શકે એટલા માટે રથમાં પરમાત્માની સુંદર અને વિશાળ મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. પરમાત્માની. વીતરાગતા લોકોના નજરે આવવી જોઈએ. બીજા દેવો રાગ-દ્વેષી હોય છે, પણ આપણા દેવ વીતરાગી છે એ વાત ન ભૂલવી જોઈએ. દુનિયાના મેદાનમાં જ્યારે આપણે આપણા પરમાત્માને લઈ જઈએ ત્યારે તેમની વીતરાગતા જ વિશ્વને દેખાડવી જોઈએ. એટલે કે મુગટ, કુંડળ વગેરે ન પહેરાવવાં જોઈએ. અંગરચના ન કરવી જોઈએ. મંદિરમાં ભલે તમે ભવ્ય અંગરચના કરી, પરંતુ રથયાત્રામાં ન કરવી જોઈએ. જેથી લોકોને પ્રભુની વીતરાગ અવસ્થાનાં દર્શન થઈ શકે. રથયાત્રામાં શ્રાવક-શ્રાવિકાઓએ પગમાં પગરખાં ન પહેરવાં જોઈએ. વસ્ત્ર સ્વચ્છ અને સુંદર પહેરવાં જોઈએ. આ વિષયમાં ખાસ સૂચના આપવા ઇચ્છું છું. યાત્રા દરમ્યાન પરમાત્મભક્તિનાં ગીતો જ ગાવાં જોઈએ. સૂત્રોન પોકારવાં જોઈએ. સૂત્ર-પોકારવાથી ચૂંટણી-સરઘસ જેવી સ્થિતિ થઈ જાય છે. પરમાત્માની જય બોલાવી શકો પણ એવાં સૂત્રો ન બોલાવાં જોઈએ કે જેથી અજૈન લોકોના મનમાં ઈષ ઉત્પન્ન થાય યા તો ઠેષ થઈ જાય. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy