SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (3) a સમતાભાવથી પોતાની દરિદ્રતાના દિવસો વ્યતીત કરવા જોઈએ. દુઃખો સહન કરવાની ક્ષમતા વધારવી જોઈએ. કર્મના સિદ્ધાંતને સમજીને કોઈ પણ જીવ પ્રત્યે રોષ કર્યા વગર શક્ય એટલો અથપુરુષાર્થ કરતા રહેવું જોઈએ. હવે જે વાતો કહું, તે વાતોનું દુઃખી સાધમિકોએ દૃઢતાથી પાલન કરવું જોઈએ? * પાન, બીડી, સિગરેટ, ચા વગેરે વ્યસનોથી મુક્ત રહેવું. * હોટલનું ખર્ચ બંધ કરવું. * સિનેમા-નાટકના ફાલતુ ખર્ચ ન કરવા. * કપડાના ખરચા ઓછા કરવા, સાદગીથી જીવવું. * દેવું ન કરવું. * સાંસારિક વ્યવહારો સાદગીથી પતાવવા. * કોઈની સામે હાથ ન ધરવો. * સદાય પરમાત્મપૂજન - દર્શન કરવાં. * પ્રતિદિન સદ્દગુરુની પ્રેરણા પામતા રહેવું. * રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કરવો. * પ્રતિદિન ૧૦૮ નવકારમંત્રનો જાપ કરવો. * આપણા કરતાં વધારે દુઃખી લોકો તરફ જોયું. એમના દુઃખોનો વિચાર કરવો, જેથી દીનતા ન આવે. ૩. ત્રણ પ્રકારની યાત્રા ત્રીજું કર્તવ્ય છે વર્ષમાં ત્રણ પ્રકારની યાત્રા કરવાનું. પહેલી યાત્રા છે ભક્તિયાત્રા. જિનમંદિરમાં પ્રભુભક્તિનો મહોત્સવ આયોજિત કરવો જોઈએ. જે તમે શ્રીમંત હો તો તમારે વર્ષમાં ઓછામાં ઓછું એકવાર આઠ દિવસનો ભક્તિમહોત્સવ કરવો જોઈએ. ગીતગાન સંગીતથી પ્રભુભક્તિ કરવી જોઈએ. સમગ્ર સંઘને નિયંત્રિત કરવો જોઈએ. આઠ દિવસનો મહોત્સવ કરવાની શક્તિ ન હોય તો પાંચ દિવસનો, ત્રણ દિવસનો કે એક દિવસનો પણ મહોત્સવ કરવો જોઈએ. મંદિરને સજાવવું જોઈએ. પરમાત્માની સુંદર અંગરચના કરવી જોઈએ. પરમાત્માની સામે ઉત્તમ કોટિનાં ફળ, મીઠાઈ-મેવા વગેરે સમર્પિત કરવાં જોઈએ. આ પ્રકારના મહોત્સવનું આયોજન કરતી વખતે એક વાતની ખાસ સાવચેતી રાખવી જોઈએ. રાત્રિના સમયે મોડા સુધી મંદિરમાં ગીત ગાન કરવાં નહીં. ભક્તિ પછી ચા-પાણી-નાસ્તા વગેરેનું આયોજન ન કરવું. રાત્રિભોજન કરવું એ મોટું પાપ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy