SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ર પૂર્વ-પ્રવચનમાળા – શ્રાવક અને શ્રાવિકાને સન્માનપૂર્વક પોતાને ઘેર નિમંત્રણ આપીને ઉત્તમ ભોજન, વસ્ત્ર, અલંકારથી ભક્તિ કરવી જોઈએ. શક્તિ અનુસાર ભક્તિ કરવી જોઈએ. ચતુર્વિધ સંઘની ભક્તિ જિનેશ્વરદેવની ભક્તિ કહેવામાં આવી છે. કારણ કે ચતુર્વિધ સંઘની સ્થાપના જિનેશ્વરદેવ કરે છે. એ દૃષ્ટિએ તીર્થની એક વ્યાખ્યા “ચાડવો સંઘો તિર્થં।" એવી પણ કરવામાં આવી છે. એટલા માટે સંઘભક્તિના વાર્ષિક કર્તવ્યનું પાલન કરવું જોઈએ. ૨. સાધર્મિક ભક્તિઃ - બીજું વાર્ષિક કર્તવ્ય છે સાધર્મિક ભક્તિનું, સાધર્મિક ભક્તિના વિષયમાં કાલે મેં કહ્યું હતું. પર્યષણા મહાપર્વનું કર્તવ્ય તો છે જ, સાધર્મિક ભક્તિ વાર્ષિક કર્તવ્ય પણ છે, સાધર્મિકો પ્રત્યે હાર્દિક પ્રીતિ હશે તો જ તેમની ભક્તિ થઈ શકશે. પ્રીતિ વગર ભક્તિ કેવી ? પરમાત્મા જિનેશ્વરના ધર્મશાસન પ્રત્યે શ્રદ્ધા-વિશ્વાસ રાખનારો શ્રીમંત હોય યા ગરીબ હોય, તેમના પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ. પરમાત્મા પ્રત્યે હૃદયમાં પ્રીતિ છે ? પરમાત્મા પ્રત્યે પ્રીતિ હશે તો તેમના ધર્મશાસન પ્રત્યે પણ પ્રીતિ થશે, અને ત્યારે સાધર્મિકો પ્રત્યે પણ પ્રીતિ થશે. ‘આ મારા પરમાત્માના શાસન પ્રત્યે શ્રદ્ધા રાખનારા છે, મારા ભાઈઓ છે, તેમની ભક્તિ કરું,' એવો ઉલ્લાસ હૃદયમાં જાગવો જોઈએ. જો તમે શ્રાવક છો, શ્રીમંત છો અને તમારા નગરમાં, ગામમાં દુઃખી સાધર્મિક છે, તો તેનો ઉદ્ધાર કરવાની ભાવના હૃદયમાં જાગવી જોઈએ. ‘સાધર્મિક મારો બંધુ છે, હું તેની નિર્ધનતા દૂર કરું. તે દુઃખી ન રહેવો જોઈએ. એવી ભાવના હૃદયમાં ઉદ્ભવવી જોઈએ. દુઃખી સાધર્મિકોના ઉદ્ધારના ઉપયો ઃ માત્ર સો-બસો રૂપિયાની સહાયતા કરવાથી સાધર્મિકનો ઉદ્ધાર કરી શકાતો નથી. તમારી ભાવના તો એ હોવી જોઈએ કે : ‘મારા દુઃખી સાધર્મિકને મારા જેવો શ્રીમંત બનાવું.’ જો તમે ઉદ્યોગપતિ હો તો દુઃખી સાધર્મિકોને કોઈ સારા વ્યવસાયમાં જોડો. જો તમે મોટા વેપારી હો તો દુઃખી સાધર્મિકોને આર્થિક સહકાર આપીને કોઈ ધંધો કરાવી શકો છો. દુઃખી સાધર્મિકોને વિશેષ વ્યાવહારિક પ્રસંગોમાં ગુપ્ત રૂપે આર્થિક સહયોગ આપીને તેમને ચિંતામુક્ત કરી શકો છો. દુઃખી સાધર્મિકોએ પોતાનું ગૌરવ ખોઈને યાચક ન બનવું પડે. તેમણે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy