SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (3) ત્રીજી યાત્રા છે તીર્થયાત્રા. વર્ષમાં એક વાર તીર્થયાત્રા કરવી જ જોઈએ. પરંતુ પદયાત્રા કરતાં કરતાં તીર્થમાં જવું જોઈએ. કોઈ પણ વાહનનો ઉપયોગ ન કરવો જોઈએ. પગે ચાલવાની આદત પણ હોવી જોઈએ. પદયાત્રાના અનેક લાભ છે. આજ એ લાભ બતાવવાનો સમય નથી, કોઈ વાર બતાવીશ. પરંતુ પદયાત્રાનું મહત્ત્વ ખૂબ જ છે, જે તીર્થ નજીક હોય, ચાલવાની જેટલી શક્તિ હોય એ પ્રમાણે ત્યાં જવું જોઈએ. ક્યાંક સંઘયાત્રાઓ પણ નીકળે છે. સંધમાં જોડાઈને પણ પગપાળા તીર્થયાત્રા કરી શકો છો. સભામાંથી કેટલાંક વર્ષોથી ટ્રેનોમાં, બસોમાં, કારોમાં પણ સંઘ કાઢવામાં આવે છે. મહારાજશ્રી : સંઘયાત્રામાં ૬ નિયમોનું પાલન કરવું પડે છે. એ વાત જાણો છો ને ? સાંભળી લો એ છ નિયમ. પહેલો છે પાદવિહાર, બીજો છે એકાસન (એક વાર ભોજન) ત્રીજો છે સચિત્તનો ત્યાગ, ચોથો છે બ્રહ્મચર્ય-પાલન, પાંચમો છે ભૂમિ શયન અને છઠ્ઠો છે સમ્યક્તનો ભાવ. સદ્ગુરુના સંયોગ વગર ટ્રેન વગેરેમાં આ નિયમોનું પાલન કરી શકો ખરા ? આ નિયમો ઉપરાંત પ્રતિદિન બે સમય પ્રતિક્રમણ, પ્રતિદિન પ્રભુપૂજા, જિનવાણીનું શ્રવણ, રાત્રિભોજનનાં ત્યાગ, વગેરે ટ્રેન યા તો બસોમાં શક્ય છે ખરું ? હોય તો પણ કેટલું શક્ય છે ? એટલા માટે કહું છું કે તીર્થયાત્રા પગપાળા જ કરવી જોઈએ. સંઘ પગપાળા જ કાઢવો જોઈએ. તીર્થમાં જઈને શાન્તિથી - બે, ચાર દિવસ રહેવું જોઈએ. સર્વ સાંસારિક કાર્યોથી મુક્ત થઈને તીર્થધામમાં મન, વચન, કાયાને શુદ્ધ કરવાં જોઈએ. પરમાત્માનાં દર્શન-વંદન, પૂજન કરવાં જોઈએ. સ્તવન અને ધ્યાનમાં સમય વ્યતીત કરવો જોઈએ. તીર્થધામોમાં કેટલાંક વર્ષોથી અનેક અનિષ્ટો, દૂષણો પ્રવેશી ગયાં છે. તીર્થોની ધર્મશાળાઓ પાપશાળાઓ બનતી જાય છે. અભક્ષ્ય ખાવું, મદિરા પીવી, જુગાર રમવો, વ્યભિચાર સેવવો. વગેરે પાપો થવા લાગ્યાં છે. તમે લોકો એ પાપોથી બચો એટલા માટે જાગૃત કરું છું. તીર્થધામમાં પાપ કરવાથી એ પાપ વજ્રલેપ જેવાં નિકાચિત બની જાય છે. એ પાપોનું ફળ ભોગવવું જ પડે છે. તીર્થયાત્રા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓની સાથે જ કરવી જોઈએ. નિયમોનું પાલન કરીને જ ક૨વી જોઈએ, અને તો જ તીર્થયાત્રાનું વિશિષ્ટ ફળ પ્રાપ્ત કરી શકો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy