SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ-પ્રવચનમાળા सर्वमपि तपो गतशल्यं कार्यं, सशल्यं दुष्करमपि तपो निरर्थकम् । સર્વ પ્રકારનું તપ શલ્યરહિત હૃદયથી કરવું જોઈએ. સશલ્ય હૃદયથી કરેલું દુષ્કર તપ પણ નિરર્થક બની જાય છે. એટલે કે નિર્વાણસાધક બનતું નથી. ૫૮ અસંખ્ય વર્ષ પુરાણી એક વાર્તા છે. રાજકુમારી લક્ષ્મણાની વાર્તા છે. સ્વયંવર મંડપમાં તેણે પતિને પસંદ કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યથી તે અલ્પ સમયમાં જ વિધવા બની ગઈ હતી. તેણે સંસાર ત્યજી દીધો અને સાધ્વી બની ગઈ. એક દિવસે લક્ષ્મણા સાધ્વીએ પક્ષી-પક્ષીણીની રતિક્રિડા જોઈ. તેણે મનમાં વિચાર કર્યો : ‘જિનેશ્વરોએ સ્ત્રી-પુરુષની રતિક્રિયાનો સાધુ-સાધ્વીઓ માટે કેમ નિષેધ કર્યો હશે ? સાચું છે કે તેઓ અવેદી છે, વીતરાગ છે. તેમને શું ખબર કે સવેદી જીવ કેટલા વ્યગ્ર હોય છે ?’ વગેરે........ પરંતુ વિચાર્યા પછી તે તરત જ સાવધાન થઈ ગઈ ઃ ‘મારે આવું વિચારવું જોઈતું ન હતું. ઘોર પશ્ચાતાપ કરવા લાગી. મારે પ્રાયશ્ચિત્ત કરવું પડશે. પ્રાયશ્ચિત્ત કરવા માટે મારે મારું માનસિક પાપ ગુરુદેવની સામે પ્રકાશિત કરવું પડશે. એ વગર મારો આત્મા શુદ્ધ નહીં થાય.' તે ગુરુદેવ પાસે જવા નીકળી. રસ્તામાં એના પગમાં કાંટો વાગ્યો. મને અપશુકન થયા છે' વિચારતી ગુરુદેવની પાસે ગઈ. તેણે ગુરુદેવને પૂછયું : ‘ગુરુદેવ, કોઈ સાધ્વી પક્ષીઓની રતિક્રિડા જોઈને એવું એવું વિચારે તો તેને શું પ્રાયશ્ચિત્ત કરવું પડે ?” ‘મેં આવું વિચાર્યું હતું.’ એ પ્રમાણે તે ન બોલી. આને શલ્ય' કહે છે. પાપને છુપાવવું એ શલ્ય છે. લક્ષ્મણા સાધ્વીએ શલ્ય હૃદયમાં રાખ્યું. પચાસ વર્ષ સુધી તેણે ઘોર તપશ્ચચર્યા કરી...સાધ્વી જીવનની તમામ ધર્મીક્રયાઓ કરતી રહી. છતાં પણ તે શુદ્ધ ન બની શકી. આર્તધ્યાનમાં મરીને અનેક ભવોમાં જન્મ-મરણ કરતી રહી. આગામી ચોવીસીમાં પ્રથમ તીર્થંકરના શાસનમાં એનો મોક્ષ થશે. એટલા માટે નિષ્પાપ હ્દયથી તપશ્ચર્યા કરવી જોઈએ. ચૈત્યપરિપાટી : પર્યુષણા મહાપર્વનું પાંચમું કર્તવ્ય છે ચૈત્યપરિપાટીનું. ચૈત્ય એટલે જિનમંદિર. ગામમાં જેટલાં જિનમંદિરો હોય, એ સર્વે જિનમંદિરોનાં દર્શન-વંદન કરવાનાં છે. સર્વ જિનમંદિરોને સજાવવાં જોઈએ. સારું ડેકોરેશન કરવું જોઈએ. જો કદાચ સમૂહમાં ગાયન-વાદન સાથે દર્શને જવાનું હોય તો રસ્તા પણ સજાવવા જોઈએ. રસ્તામાં અનાથ, અપંગ લોકોને દાન આપવું જોઈએ. ભક્તિપૂર્ણ હૃદયથી પરમાત્માનાં દર્શન-વંદન માટે જવું જોઈએ. I दर्शनाद् दुरितध्वंसी वंदनाद्वाग्छितप्रदः पूजनात्पूरकः श्रीणां जिनः साक्षात् सुरदुमः ॥ Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy