SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) ૫૯ જિનપ્રતિમાને સાક્ષાત્ જિનેશ્વર માનીને એનાં જે દર્શન કરે છે એનાં પાપ નષ્ટ થાય છે. જે વંદન કરે છે તેને વાંછિત ફળ-સુખ મળે છે, અને જે પૂજા કરે છે તેને સંપત્તિ પ્રાપ્ત થાય છે. એટલા માટે જિનેશ્વરદેવ સાક્ષાત્ કલ્પદ્રુમ છે. ‘હું જિનમંદિરે જાઉં.’ આટલો વિચાર કરવાથી મનુષ્યને ઉપવાસનું ફળ મળે છે. જવા માટે ઊભો થાય છે ત્યારે બે ઉપવાસનું ફળ મળે છે. ચાલે છે ત્યારે ત્રણ, માર્ગમાં ભાવોલ્લાસ વધે છે ત્યારે ચાર ઉપવાસનું, જિનમંદિરે પહોંચે છે ત્યારે પાંચ ઉપવાસનું...અને પરમાત્માનાં દર્શન થતાં એક માસના ઉપવાસનું ફળ મળે છે. આ તો સામાન્ય ફળ બતાવ્યું છે. ભાવવૃદ્ધિથી જે ફળ મળે છે, એને કોણ બતાવી શકે ? ઉત્તમ ભાવોથી, ઉત્તમ સામગ્રીથી પરમાત્માની પૂજા કરવી જોઈએ. શક્તિ અનુસાર જિનશાસનની ઉન્નતિ કરવી જોઈએ. એટલે કે જે અજૈન લોકો છે, તેમના મનમાં પણ જિનશાસન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય, તેવાં કાર્યો કરવાં જોઈએ. પર્યુષણા મહાપર્વમાં આવાં કાર્યો ખાસ કરવાં જોઈએ. જિનમંદિર અને ઉપાશ્રય આદિ ધર્મસ્થાનોની આસપાસ રહેનારાં લોકોની સાથે વિશેષરૂપે સારો વ્યવહાર કરવો જોઈએ. પર્વ-મહાપર્વના દિવસોમાં સ્વાભાવિક રૂપે ધર્મરહિત લોકોમાં પણ ધર્મભાવના પેદા થાય છે. પરંતુ વાતાવરણ સદ્ભાવપૂર્ણ હોવું જોઈએ. મૈત્રીપૂર્ણ, પ્રેમપૂર્ણ અને કરુણાસભર વાતાવરણમાં ધર્મહીને લોકો પણ ધર્મ તરફ વળે છે. હા, મનુષ્ય ધર્મહીન ભલે હો, પરંતુ મૂર્ખ ન હોવો જોઈએ. પ્રાજ્ઞ હોવો જોઈએ. સમજદાર અને વિવેકી હોવો જોઈએ. મૂર્ખ માણસને લાખવાર ઉપદેશ આપવામાં આવે તો પણ તે ધર્મનાં રહસ્યોને સમજશે નહીં. ધર્મની વાતો સમજશે તો નહીં જ, ઉપરથી રોષ ક૨શે. ક્રોધ કરશે. નિંદા કરશે. એટલા માટે મૂર્ખાઓને ઉપદેશ ન આપવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् ? लोचनाभ्यां विहिनस्य प्रदीपः किं करिष्यति ? ‘જેનામાં બુદ્ધિ નથી, શાસ્ત્ર એનું શું કલ્યાણ કરે ? અંધને દીવો કેવી રીતે પ્રકાશ આપશે ?’ મૂર્ખતાને દૂર કરીને શાસ્ત્રોક્ત-માર્ગ ઉપર ચાલવું એ જ શ્રેયસ્કર બને છે. આજે પર્યુષણાપર્વનાં પાંચ કર્તવ્યોનું સંક્ષેપમાં વિવેચન કર્યું છે. વાર્ષિક અગિયાર કર્તવ્યોના વિષયમાં કાલે પ્રવચન થશે. આજ બસ, આટલું જ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy