SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ-પ્રવચનમાળા બીજી વાર રાજાના શરીરમાં ભયંકર વેદના ઉત્પન્ન થઈ. પારણાં કરવા અગ્નિશમાં આવ્યો તો રાજમહેલ શોકમાં ડૂબી ગયો હતો. વૈદ્યોની હલચલ હતી. કોઈએ અગ્નિશમને પારણાં માટે નિમંત્રણ ન આપ્યું. તે પાછો ચાલ્યો ગયો અને ત્રીજું માસક્ષમણ શરૂ કરી દીધું. ૫ દર્દ શમ્યા પછી રાજાને અગ્નિશમાં યાદ આવ્યો. પરંતુ તે તો આશ્રમમાં પાછો ચાલ્યો ગયો હતો. રાજાએ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું. પુનઃપુનઃ ક્ષમા માગી અને ત્રણ માસક્ષણનાં પારણાં રાજમહેલમાં કરવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરી. ત્રીજી વાર જ્યારે અગ્નિશમાં પારણાં કરવા માટે રાજમહેલે પહોંચ્યો તો વિશાળ સેનાની હલચલ હતી. રાજમહેલના મેદાનમાં હાથીઘોડા અને રથ આવતા હતા. અગ્નિશમાં કેટલોક સમય દરવાજા ઉપર ઊભો રહ્યો. પરંતુ કોઈએ એના તરફ નજર ન કરી. એ આશ્રમમાં પાછો ફરી ગયો. રાજા જ્યારે યુદ્ધયાત્રા માટે પ્રયાણ કરે છે ત્યારે એને અગ્નિશમનાં પારણાં યાદ આવ્યાં...એ રથમાં ન બેઠો, સીધો દરવાજે પહોંચ્યો...પરંતુ સમય વીતી ગયો હતો. તે આશ્રમે ગયો. પરંતુ અગ્નિશમાં રોષમાં હતો. તેના મનમાં બાલ્યકાળની સ્મૃતિ તાજી થઈ. રાજા પ્રત્યે ઘોર વેરભાવના જાગૃત થઈ ગઈ હતી. તેણે આજીવન ઉપવાસનો સંકલ્પ કરી લીધો હતો. અને ‘જનમ જનમ રાજાને મારનારો બનું.’ એવો સંકલ્પ કરી લીધો હતો. રાજા કુલપતિની સામે રડી પડયો. વારંવાર ક્ષમા માગી. પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. પરંતુ અગ્નિશમાં ઉપશાન્ત ન થયો. નવ ભવ સુધી અગ્નિશમાં ગુણસેનને મારતો રહ્યો. પરિણામે અગ્નિશમાં નરકે ગયો. ગુણસેન સમરાદિત્ય રાજાના ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં ગયો. વેરભાવ જીવને દુર્ગીતમાં લઈ જાય છે. ક્ષમાભાવના જીવને મોક્ષમાં લઈ જાય છે એટલા માટે ક્ષમા ધારણ કરીને આત્માને ઉપશાંત કરતા રહો. પર્યુષણાપર્વમાં ઉપશાંત થવાનું છે. નમ્ર અને સરળ બનીને પરસ્પર ક્ષમા કરી લેવી જોઈએ. અઠ્ઠમ તપ ઃ પર્યુષણામહાપર્વનું ચોથું કર્તવ્ય છે અઠ્ઠમ તપનું. નિરંતર ત્રણ દિવસ ઉપવાસ કરવાના હોય છે. પાક્ષિક તપ એક ઉપવાસનો હોય છે. ચાતુર્માસિક તપ છઠ્ઠ (બે ઉપવાસ)નો કરવાનો હોય છે. અને પર્યુષણામાં અક્રમનો તપ કરવાનો હોય છે. શારીરિક અશક્તિને કારણે કોઈ અઠ્ઠમતપ ન કરી શકે તો તેણે ૬ આયંબિલ' કરવાં જોઈએ. જે આયંબિલ ન કરી શકે તેણે નવ ‘નીવી’ કરવી જોઈએ. જે નીવી' ન કરી શકે તેણે બાર ‘એકાસણાં’ કરવાં જોઈએ. જે લોકો એકાસણાં ન કરી શકે તેમણે ૨૪ બેસણાં ક૨વાં જોઈએ. અને જેઓ બેસણાં ય ન કરી શકે તેમણે ૬ હજાર શ્લોકોનો (અથવા ગાથાનો) સ્વાધ્યાય કરવો જોઈએ. અથવા ૬૦ માળા શ્રી Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy