SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ પર્વ-પ્રવચનમાળા કરી લેવો જોઈએ. ત્યારે જ આત્માની શુદ્ધિ થાય છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામી જ્યારે આ ભારતભૂમિ ઉપર સદેહ વિચરતા હતા, એ વખતની ઘટના છે. કૌશામ્બી નગરીમાં ભગવાન પધાર્યા હતા. સમવસરણમાં ભગવાનના ઉપદેશની ગંગા વહી રહી હતી. ઉપદેશ સાંભળવા દેવો પણ આવતા હતા. સુર-અસુર પણ આવતા હતા. મનુષ્ય અને પશુઓ પણ આવતાં હતાં. ગણધર હતા, આચાર્યો હતા. ઉપાધ્યાય હતા અને સાધુ-સાધ્વીઓ પણ હતા. ભગવાનની પ્રથમ શિષ્યા ચંદનબાલાજી- જે સર્વ સાધ્વીજીઓની-શ્રમણીવૃંદની મુખા હતી. તે પણ સમવસરણમાં હતાં. સૂર્યાસ્ત થયા છતાં પણ ઉપદેશ તો ચાલતો રહ્યો. સાધ્વી ચંદનબાલાજીએ સમય જોઈ લીધો. તે સર્વ સાધ્વીઓની સાથે ઉપાશ્રયમાં ચાલ્યાં ગયાં, પરંતુ સાધ્વી મૃગાવતીજી ત્યાં જ ઉપદેશ સાંભળવામાં લીન બની ઊભા રહ્યાં હતાં. જ્યારે ઉપદેશ પૂરો થયો, દેવો પણ ચાલ્યા ગયા, અંધાર થઈ ગયું. મૃગાવતીજીએ આજુબાજુ જોયું તો કોઈ સાધ્વી ન હતી. તેઓ ઝડપથી ઉપાશ્રયે પહોંચી ગયાં. પ્રતિક્રમણ કર્યું, અને ગુરુજીની પાસે જઈને કહ્યું: ‘પૂજ્યા, મને માફ કરો, રાત પડી ગઈ છતાં હું સમવસરણમાં બેસી રહી.” ચંદનબાલાજીએ કહ્યું: “આર્યે, તું મહાન્ કુળમાં જન્મી છે, તે દીક્ષા લીધી છે. રાત્રિના સમયે ઉપાશ્રયની બહાર રહેવું યોગ્ય નથી.” મૃગાવતીજીએ વારંવાર ક્ષમાયાચના કરી, પશ્ચાતાપ કર્યો, “અરે ધિક્કાર છે મને, મારા નિમિત્તે મારાં ગુરુમાતાને કેટલો મનફ્લેશ થયો?..હવે ફરીથી હું આવી ભૂલ કદી નહીં કરું.’ આત્મનિંદા કરતાં કરતાં મૃગાવતીજીને એ રાત્રે જ કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એટલે કે તેમનો આત્મા સર્વજ્ઞ-વીતરાગ બની ગયો. એ રાત્રે બીજી ઘટના બને છે. જ્યાં સાધ્વી ચંદનબાલાજી સતાં હતાં ત્યાંથી એક સાપ પસાર થાય છે. ચંદનબાલાજીનો એક હાથ સંસ્તારક-પથારીની બહાર આવી ગયો છે. ઘોર અંધકારમાં પણ મૃગાવતીજીને આ દ્રશ્ય દેખાય છે. તેમણે ચંદનબાલાજીનો હાથ સંસ્તારકમાં મૂકી દીધો. સ્પર્શ થતાં જ ચંદનબાલાજી જાગી ગયાં. પાસે જ મૃગાવતીજી હતાં. તેમણે પૂછ્યું : “આયે, મારો હાથ આમ કેમ મૂક્યો?' “સાપ આવી રહ્યો છે માટે.' મૃગાવતીજીએ કહ્યું. ‘આટલા અંધકારમાં સાપ કેવી રીતે જોયો?’ “જ્ઞાનથી.” કયા જ્ઞાનથી?” ‘અપ્રતિપાતી.” “શું અપ્રતિપાતી જ્ઞાનથી જોયું?” કેવળજ્ઞાન થઈ ગયું છે તમને ?” Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy