SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) - પોતાના અપરાધોની ક્ષમા માંગી લેવાની છે. - બીજાંના અપરાધોને માફ કરવાના છે, ભૂલી જવાના છે. - સંવત્સરીની પહેલાં પહેલાં વેરવિરોધનો ક્ષમાના આદાન-પ્રદાનથી અંત લાવી દેવાનો છે. – પોતાના આત્માને શાન્ત-ઉપશાંત કરવાનો છે. આત્માની શાન્તિ જ સાચું સુખ છે. વેર-વિરોધ બ્દયમાં સંઘરી રાખવાથી આત્મા અશાંત રહેશે. અશાંત આત્મા જ દુઃખ છે. અશાંત આત્મા જ ફ્લેશ છે. શા માટે કોઈ પણ જીવો સાથે વેર-વિરોધ રાખવાં? શું તમે એમ સમજો છો કે બીજા જીવે તમારું અહિત કર્યું છે? જો તમે એવું માનતા હો તો એ તમારી મોટી ભૂલ છે. જૈનધર્મ તો કમસિદ્ધાંતમાં માને છે. પ્રત્યેક જીવાત્માને સુખ મળે છે પુણ્યકર્મના ઉદયથી, અને દુઃખ મળે છે પાપકર્મના ઉદયથી. સુધરે છે પુણ્યકર્મથી, બગડે છે પાપકર્મથી. આ સિદ્ધાંતને માનો છો? તો પછી બીજ પર શા માટે દોષ ઢોળો છો કે : “આ માણસે મારું બગાડયું, આણે મને દુઃખી કરી નાખ્યો ?” કોઈ તમને કડવા શબ્દો સંભળાવે છે, કોઈ તમને દગો દે છે. કોઈ તમારી પાસેથી પૈસા લઈને પાછા નથી આપતું, કોઈ તમારી વિરુદ્ધ વાતો કરે છે. તો તેના પ્રત્યે તમારા મનમાં દ્વેષ પેદા થાય છે. હું જાણું છું. પરંતુ એવું કંઈ પણ બને ત્યારે તમારે વિચારવાનું કે આવું શા માટે બને છે? કર્મસિદ્ધાંતને આધારે વિચારજો. હું વિશ્વાસ સાથે કહું છું કે તમારા મનમાં દ્વેષ પેદા નહીં થાય. કોઈપણ કાર્ય, કારણ વગર બનતું નથી. કાર્યકારણનો નિયમ તો આખી દુનિયા માને છે ને? કારણ વગર કાર્ય બનતું નથી. આ સર્વમાન્ય નિયમ છે. કોઈ વ્યક્તિએ તમને દુઃખી કર્યા છે આ એક કાર્ય છે. કયા કારણે આ કાર્ય થયું એ વિચારવાની બાબત છે. વિચાર કરશો તો ખબર પડશે કે તેનું કારણ તમે જાતે જ છો. તમે તમારા ગત જન્મોમાં બીજા જીવોને દુઃખી કર્યા છે, એટલા માટે આ જીવનમાં તમને દુઃખ આવ્યું છે. છતાં પણ કોઈવાર કોઈ જીવ પ્રત્યે રોષ થયો, ઝઘડો થઈ ગયો તો તેની ક્ષમા માગીને તેના મનને શાંત કરી લો. અને મનને શાંત કરી લો. ભૂલ તમારી હોય યા ન હોય, પણ તમે ક્રોધ કર્યો છે. ઝઘડો કર્યો છે, એટલા માટે તમારે એની પાસે જઈને તેની ક્ષમા માગવી જોઈએ. ક્ષમા માગવાથી તમે નાના નહીં બની જાઓ, તે યાદ રાખજો. જૈનશાસન તો કહે છે કે ક્ષમા માગનારો અને ક્ષમા કરનારો સદાય મહાન હોય છે. મનુષ્યની મહાનતા નમ્રતામાં રહેલી છે. મહાનતા સરળતામાં રહેલી છે. એ તમે કદી ન ભૂલતા. તમારો કોઈ હિતકારી-સુખકારી પુરુષ તમારી ભૂલ બતાવે તો રીસ ન કરવી જોઈએ. સરળતાથી ભૂલનો એકરાર કરી લેવો જોઈએ. ભૂલ કરવા ઉપર પશ્ચાતાપ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy