SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પર પર્વ-પ્રવચનમાળા નાશ કરે છે. એટલા માટે આ જ રસ્તેથી જઈએ.” - સંઘપતિ પૂનડશાહ અને મહામંત્રી વસ્તુપાલ પરસ્પર ગાઢ આલિંગન આપીને ભેટ્યા. પ્રેમપૂર્વક વાતલિાપ થયો. સંઘ સરોવર કિનારે રોકાયો. રાત્રિના સમયે વસ્તુપાલ વિચાર કરે છે : “શ્રીસંઘની ચરણરજથી મારું ઘર પવિત્ર થવું જોઈએ. મારા પરમ ભાગ્યને લીધે સંઘ અહીં આવ્યો છે. પ્રભાત વસ્તુપાલે જઈને સંઘપતિને વિનંતી કરીઃ ‘સંઘ મારે ઘેર પધારે અને મને સાધર્મિક ભક્તિનો લાભ આપે.” પૂનડશાહે વિનંતીનો સ્વીકાર કર્યો. સંઘ ઘેર આવે છે. વસ્તુપાલ સ્વયં એક એક તીર્થયાત્રીના પગ ધૂએ છે. અને તિલક કરે છે. બે પ્રહર એટલે કે છ કલાક વીતી ગયા...છતાં પણ મહામંત્રી પ્રફુલ્લિત હતા. તેજપાલે વિનંતી કરી: “આપ ઘરમાં પધારો, ભોજન કરો, સંઘભક્તિ હું કરીશ.' વસ્તુપાલે કહ્યું: ‘ભાઈ, મહાન પુણ્યોદયથી આ અવસર પ્રાપ્ત થયો છે. હું આખા સંઘને ભોજન કરાવીને પછીથી ભોજન કરીશ.' કેવું અદ્ભુત સાધર્મિક વાત્સલ્ય! સાધર્મિક પ્રત્યે કેવો અદ્વિતીય પ્રેમાં કોઈ પ્રત્યુપકારની ઈચ્છા નહીં. કોઈ શ્રીમંત-નિર્ધનના ભેદ નહીં ભવ્ય ઉદારતા! અપૂર્વ સત્કાર-સન્માન ! જે રીતે ભોજન, વસ્ત્ર, ધન..ઈત્યાદિથી સાધર્મિક વાત્સલ્ય કરવાનું હોય છે, એ રીતે જે સાધર્મિકો ધર્મરહિત હોય છે, વ્યસનોમાં ફસાયા હોય છે, પરમાત્માથી છેટા હોય છે...એવા સાધર્મિકોનો પણ ઉદ્ધાર કરવાનો છે. એમને વિવિધ ઉપાયો દ્વારા ધર્મમાર્ગ ઉપર ચડાવવા જોઈએ. વ્યસનોથી મુક્ત કરવા જોઈએ, સદ્ગુરુના પરિચયમાં લાવવા જોઈએ. પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાવાન બનાવવા જોઈએ. આ કામ સરળ નથી. બીજાંને ધાર્મિક બનાવવાનું કામ મુશ્કેલ હોય છે. છતાં પણ અસંભવ નથી. પૂર્વકાળમાં મહાન શ્રાવક-શ્રાવિકાઓએ આવાં કામ કર્યા છે. પરંતુ આ કામ કરવા માટે બુદ્ધિમત્તા જોઈએ. ધૈર્ય જોઈએ. સહનશીલતા જોઈએ, અને કંઈક તર્કપૂર્ણ ધર્મજ્ઞાન પણ જોઈએ. સાધર્મિક-વાત્સલ્ય”પર્યુષણા મહાપર્વનું જેવું કર્તવ્ય છે, એવું જીવનનું પણ આ મહાકર્તવ્ય છે. પરસ્પર ક્ષમાપના: ત્રીજું કર્તવ્ય છે પરસ્પર ક્ષમાપનાનું. અતિમહત્વનું છે આ કર્તવ્ય. પર્યુષણા મહાપર્વનું દૃય છે આ કર્તવ્ય. આ ભાવાત્મક કર્તવ્ય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy