SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) ૫૧ સત્કાર્યો કરાવ્યાં હતાં. પરંતુ કુમારપાળનું ધ્યાન દુઃખી સાધર્મિકો તરફ ગયું ન હતું. ગુરુદેવે એના પ્રત્યે તેનું કર્તવ્યભાન કરાવવા વિચાર્યું. એક વાર આચાર્યદેવી શાકંભરી નગરીમાં પધાર્યા, ત્યાં “ધનાક' નામનો એક ગરીબ જૈન રહેતો હતો. તેની પત્નીએ પોતાના હાથે કાંતેલું સૂતરનું વસ્ત્ર પ્રેમથી આચાર્યદેવને આપ્યું. વસ્ત્ર મોટું હતું. જાડું હતું. આચાર્યદેવે એ વસ્ત્ર પહેરીને પાટણમાં પ્રવેશ કર્યો. રાજા કુમારપાળે પોતાના ૭૨ સામંતોની સાથે ગુરુદેવના સ્વાગત માટે સામૈયું કર્યું. વંદન કર્યા પછી રાજાએ કહ્યું : ‘ગુરુદેવ, આપ મારા ગુરુદેવ છો. આપનાં આવાં વસ્ત્રો જોઈને મને શરમ આવે છે.’ ગુરુદેવે કહ્યું : “રાજન્, તું જ્યારે ગુજરાતનો રાજા હોય, અને તારા રાજ્યમાં સાધર્મિક જૈન પરિવાર આવા દિરદ્ર હોય, ઘણી મુશ્કેલીથી જીવનનિર્વાહ કરતા હોય, તો શું એની તને શરમ નથી આવતી ? અમારે માટે તો આવાં વસ્ત્રોમાં જ ગુરુપણું શોભે છે !’ કુમારપાળ નતમસ્તક થઈ ગયો. તેણે કહ્યું : ‘ગુરુદેવ, પ્રતિવર્ષ દુઃખી સાધર્મિકોનો ઉદ્ધાર કરવા માટે એક કરોડ રૂપિયા ખર્ચ કરીશ.' તેણે પ્રતિજ્ઞા લઈ લીધી. કુમારપાળે ચૌદ વર્ષ રાજ્ય કર્યું. (ધર્મપ્રાપ્તિ પછી) એ કાળમાં ૧૪ કરોડ રૂપિયા સાધર્મિકોના ઉદ્ધાર માટે ખર્ચ્યા. જે રીતે દુઃખી સાધર્મિકોનો ઉદ્ધાર કરવો જોઈએ એ રીતે શ્રીમંત સાધર્મિક કર્મદોષથી નિર્ધન થઈ ગયો હોય તો તેને પણ પૂર્વાવસ્થામાં લઈ જવો જોઈએ. એટલે કે શ્રીમંત બનાવવો જોઈએ. દેવગિરમાં એવું એક શ્રાવકરત્ન થઈ ગયું. તેનું નામ હતું જગતસિંહ, ૫રમાત્મા મહાવીરદેવના શાસનમાં જગતસિંહનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમણે ૩૬૦ જૈન પરિવારોને પોતાની સમકક્ષ શ્રીમંત બનાવ્યા હતા ઃ પોતાના રૂપિયા આપીને વ્યવસાય કરાવતા અને ઊંચે લાવતા હતા. વિ.સં ૧૨૮૬માં નાગપુર (મહારાષ્ટ્ર)થી શ્રેષ્ઠી પૂનડશાહે શત્રુંજ્ય મહાતીર્થનો સંઘ કાઢ્યો હતો. જ્યારે સંઘ માંડલિકપૂર પહોંચ્યો ત્યારે ધોળકાના સરસેનાપતિ તેજપાલે જઈને સંઘને ધોળકા પધારવાનું નિમંત્રણ આપ્યું. પૂનડશાહે તેજપાલની વિનંતી માન્ય રાખી અને સંઘ ધોળકા તરફ આગળ વધ્યો. જ્યારે સંઘ ધોળકાની નજીક પહોંચ્યો ત્યારે મહામંત્રી વસ્તુપાળ અન્ય શ્રેષ્ઠીઓને લઈને સંઘની સામે ગયા. પવન સામે આવી રહ્યો હતો પવનની સાથે હજારો યાત્રીઓના ચાલવાથી ઊડતી ધૂળ સામે આવતી હતી. શ્રેષ્ઠીઓએ વસ્તુપાલ મહામંત્રીને કહ્યું : મંત્રીવર, બીજા રસ્તાથી જઈએ, આ રસ્તે તો ઘણી ધૂળ ઊડી રહી છે.’ વસ્તુપાલે કહ્યું : “મહાનુભાવો, તીર્થયાત્રીઓની ચરણરજ નો સ્પર્શ પણ પાપોનો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy