SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પર્વ-પ્રવચનમાળા હાથ પકડીને અકબરે પોતાના માથે મૂક્યો. ભાનુચંદ્રજીએ કહ્યું ચિંતા ન કરો. હમણાં જ આરામ થઈ જશે.” અકબરને આરામ થઈ ગયો. ઉમરાવ લોકોએ આ વાતની ખુશી મનાવવા કુરબાની માટે પ૦૦ ગાયો એકઠી કરી. અકબરને ખબર પડી. તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે તરત જ ગાયોને મુક્ત કરાવી દીધી. * ભાનુચંદ્રજીના ઉપદેશથી શત્રુજ્ય ગિરિરાજ ઉપર જે કર લેવાતો હતો તે અકબરે બંધ કરાવ્યો. કેટલી અદ્ભુત પ્રેરણા આપનારી છે આ વાતો? આજે આપણે શું કરી શકીએ તે વિચારવું પણ અતિ આવશ્યક છે. વર્તમાન સમયમાં રાજાશાહી નથી, પ્રજાતંત્ર છે. રાષ્ટ્રપતિ દ્વારા યા પ્રધાનમંત્રી દ્વારા અહિંસા-પ્રવર્તન એવું કરાવી શકતા નથી. કે જેવું કુમારપાળ દ્વારા હેમચંદ્રસૂરિજીએ કરાવ્યું હતું, અને અકબર દ્વારા હીરવિજયસૂરિજીએ કરાવ્યું હતું. કારણ કે કુમારપાળ અને અકબર રાજા હતા. સવધિકારી હતા. વર્તમાનકાળમાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી એવા સવધિકારી નથી. તેઓ પણ લોકસભાને આધીન છે. ‘માંસાહારી પ્રજાને માટે પશુઓની હિંસા કરવી જ પડે છે. માંસાહારી લોકો માટે કતલખાનાં જોઈએ જ.’ વગેરે દલીલો કરે છે. કારણ કે કરોડો માંસાહારી લોકોને ખુશ રાખવા પડે છે, ચુંટણીમાં તેમના મત મેળવવા માટે. હિંસાજન્ય વસ્તુઓનો ત્યાગ કરોઃ એટલા માટે તો વર્તમાનકાળમાં એવી વસ્તુઓનો ત્યાગ કરી દેવો જોઈએ. કે જે પશુપક્ષીની હિંસામાંથી બનતી હોય, એવી મોજશોખની વસ્તુઓ બજારમાં વેચાય છે. આ વસ્તુઓ ખૂબ જ આકર્ષક હોય છે. એટલા માટે સાવધાન રહેવું જોઈએ. તમે લોકો એવી વસ્તુઓ ખરીદશો તો હિંસાને ઉત્તેજન મળશે. એ રીતે કસાઈખાનામાં જતાં પશુઓને, કસાઈઓને પશુઓ વેચતા માણસો પાસેથી લઈને પાંજરાપોળમાં સુરક્ષિત રાખવાં જોઈએ. પાંજરાપોળોને સમૃદ્ધ કરવી જોઈએ. કતલખાનામાં જતાં પશુઓને બચાવવાનો એક સારો ઉપાય છે પશુપાલનનો. શહેરમાં નહીં, ગામડાઓમાં પ્રત્યેક ઘરમાં એક બે પશુઓનું પાલન થતું રહે તો કતલખાનાંને પશુઓ મળે જ નહીં. પશુપાલન ઘેરઘેર થવું જોઈએ. અપંગ પશુઓને પાંજરાપોળમાં રાખવાં જોઈએ. આમ કરવાથી કતલખાનાવાળા પશુઓ લાવશે ક્યાંથી? અમારિ-પ્રવર્તનના આવા કેટલાક રસ્તાઓ વર્તમાનકાળમાં લઈ શકાય તેમ છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy