SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) ૪૭ આચાર્યદેવે કહ્યું : ‘પર્યુષણામહાપર્વના આઠ દિવસોમાં તમે તમારા દેશમાં હિંસા બંધ કરાવો અને જેલોમાં રહેલા બંધનયુક્ત લોકોને મુક્ત કરશો, તો મને ખૂબ આનંદ થશે.' ધર્મગ્રંથોમાં કહ્યું છે. दीर्घायुः परं रूपमारोग्यं श्लाधनीयता 1 अहिंसायाः फलं सर्वं किमन्यत् कामदैव सा ॥ દીર્ઘ આયુષ્ય, શ્રેષ્ઠ રૂપ, આરોગ્ય, પ્રશંસા વગેરે અહિંસાનાં ફળ છે. એટલા માટે હિંસાનો ત્યાગ કરવો જોઈએ. આચાર્યદેવે પોતાને માટે કશું ન માંગ્યુ. એનાથી અકબર ખૂબ જ પ્રભાવિત થયો. તેણે કહ્યું : ‘ગુરુદેવ, આઠ દિવસ આપના અને ચાર દિવસ મારા. પૂરા બાર દિવસ આખા દેશમાં અહિંસાનું પ્રવર્તન થશે બંદીજનોને પણ મુક્તિ મળશે.' : અકબરે તરત જ અહિંસા-પ્રવર્તનનાં ૬ ફરમાનો લખાવ્યાં. અને ગુજરાત, સૌરાષ્ટ્ર, દિલ્હી, ફત્તેહપુરસિક્રીમાં, અજમેર, નાગપુરમાં માલવા-દક્ષિણમાં, લાહોરમુલતાનમાં મોકલાવ્યા. એક ફરમાન આચાર્યદેવને સોપ્યું. એ સમયે થાનસિંગ શ્રાવકે અકબરને સાચા મોતીઓથી તેમજ ફૂલોથી વધાવ્યો. * અકબર રોજ પાંચસો પક્ષીઓની જીભ ખાતો હતો. એણે તેનો ત્યાગ કરી દીધો. વર્ષમાં ૬ માસ માંસાહારનો ત્યાગ કર્યો. અકબરે ગુરુદેવની સાથે જઈને ડાબર સરોવ૨ ૫૨ પિંજરામાં બંધ લાખો પક્ષીઓને મુક્ત કર્યા. * ગુજરાતમાં તીર્થસ્થાનો ઉપરનો ‘જાજિયા વેરો' લેવાતો હતો તે બંધ કરાવી દીધો. * અકબરે ગુરુદેવને-હીરવિજસૂરિજીને ‘જગદ્ગુરુ'ની ઉપાધિ પ્રદાન કરી. * આચાર્યદેવનો ગુજરાત તરફ વિહાર થતાં અકબરની વિનંતીથી ઉપાધ્યાય શ્રી શાન્તિચંદ્રજીને દિલ્હીમાં રાખીને ગયા. તેમનામાં અદ્ભુત વ્યાખ્યાનશક્તિ હતી અને ૧૦૮ અવધાન પ્રયોગ કરનારા હતા. તેમણે ‘કૃપારસ કોષ’ નામની ૧૦૮ શ્લોકોની સંસ્કૃત રચના કરીને અકબરને દયાધર્મનો ઉપદેશ આપ્યો હતો. * લાહોરમાં શ્રી શાન્તિચંદ્રજીએ અકબરને ‘કુરાને શરીફની આજ્ઞાઓ બતાવીને ઈદના દિવસે સંપૂર્ણ જીવહિંસા બંધ કરાવી હતી. * શાન્તિચંદ્રજીનો ગુજરાત તરફ વિહાર થતાં અકબરને દયાધર્મની પ્રેરણા આપવા માટે ભાનુચંદ્રજી અને સિદ્ધચંદ્રજીને દિલ્હીમાં રાખવામાં આવ્યા હતા. ભાનુચંદ્રજી વિદ્વાન પણ હતા અને દિવ્ય શક્તિઓ પણ ધરાવતા હતા. * એક વાર અકબરને અસહ્ય શિરોવેદના ઊપડી. ભાનુચંદ્રજીને બોલાવ્યા. તેમનો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy