SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પર્વ-પ્રવચનમાળા પોતાને માટે યા બીજાને માટે મૃગ, બકરું ગાય, ભેંશ કોઈ પણ જીવની હિંસા કરશે તે રાજદ્રોહી કહેવાશે. રાજદ્રોહીને પ્રાણદંડની શિક્ષા થશે.” - કસાઈ વગેરેને નિષ્પાપ વ્યવસાય આપીને દયામય જીવન જીવતાં શીખવ્યું. આ કામ તમે લોકો ઈચ્છો તો કરી શકો છો. કસાઈનું કામ કરનારને, તમારામાંથી જે લોકો મોટા ઉદ્યોગપતિ હોય તેઓ કામધંધો આપીને, અહિંસક વ્યવસાયવાળા બનાવી શકે છે. રાજા કુમારપાળે ગુજરાતમાં સર્વ પ્રાણીઓને અને મનુષ્યોને ગાળીને પાણી પાવાની વ્યવસ્થા કરી હતી. દરેક જળાશય ઉપર પોતાના માણસો નિયુક્ત કર્યા હતા. સૌને પ્રેમથી ગાળેલું પાણી પાવામાં આવતું. કુમારમાળે તો અદ્ભુત અમારિ-પ્રવર્તન કર્યું જ હતું. પરંતુ મોગલ બાદશાહ અકબરે પણ અમારિપ્રવર્તન કરાવ્યું હતું. જગદ્ગુરુ હીરવિજયસૂરિજીની પ્રેરણાથી અપૂર્વ અમારિપ્રવર્તન કરાવ્યું હતું. એટલે કે બંને રાજાઓની પાછળ જૈનાચાર્યોની પ્રેરણાનું બળ રહેલું હતું. બંને રાજાઓ હતા, સત્તાધીશ હતા, એટલા માટે તેઓ અમારિપ્રવર્તનનું કાર્ય કરી શક્યા હતા. હવે હું જગદ્ગુરુ હીરવિજયસૂરિજી અને મોગલ બાદશાહ અકબરના કેટલાક ઐતિહાસિક પ્રસંગો કહું છું. વિ.સં. ૧૬૩૯ નું વર્ષ હતું. દિલ્હીની પાસે ફત્તેહપુરસિક્કીમાં ચંપા' નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા હતા. અકબર ચંપાની તપશ્ચર્યાથી પ્રભાવિત થયો હતો. ચંપા શ્રાવિકાએ અકબરને હીરવિજયસૂરિજીનો પરિચય આપ્યો અને અકબરે બે જૈન આગેવાનોને બોલાવ્યા. એ હતા થાનમલ અને માનુકલ્યાણ. તેમની પાસે આચાર્યશ્રીને દિલ્હી પધારવા નિમંત્રણપત્ર લખાવ્યો અને સ્વયં અકબરે પણ નિમંત્રણપત્ર લખ્યો. મોદી અને કમાલ નામના બે સંદેશવાહકોને આમંત્રણપત્ર આપીને ગુરુદેવ હીરવિજસૂરિજીની પાસે મોકલ્યા. એ સમયે ગુરુદેવ ગુજરાતના ગાંધાર નગરમાં બિરાજમાન હતા. મોદી અને કમાલે જઈને વિનયથી ગુરુદેવને અકબરનો અને જૈનસંધનો વિનંતીપત્ર આપ્યો. આચાર્યદવ શિષ્ય પરિવાર સાથે ફત્તેહપુરસિકી પધાર્યા. બાદશાહના દીવાનખાનાની બહાર ઊભા રહીને કેટલાક કલાકો તો બાદશાહે આચાર્યદિવની સાથે વાતો કરી. અકબર ખૂબ જ પ્રભાવિત થયા. આચાદવની આચારનિષ્ઠાથી અને નિસગૃહનાથી અકબર નતમસ્તક થઈ ગયો. આચાદિ વિ. સં. ૧૬૩૯નું ચાતુમસ આગ્રામાં કર્યું. અકબરે કહ્યું : “આપ મારી વિનંતીથી દૂર દેશથી અહીં પધાર્યા છો. આપ મારી પાસેથી કશું લીધું નથી, એટલા માટે આપને ઉચિત લાગે તે મારી પાસેથી માંગી લો.” Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy