SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) પર્યુષણાપર્વનાં પાંચ કર્તવ્યોઃ શ્રી પર્યુષણા મહાપર્વના દિવસોમાં પાંચ કર્તવ્યોનું વિશેષરૂપે પાલન કરવાનું કહ્યું છે. પર્વના દિવસોમાં શું શું કરવું જોઈએ, અને શું શું ન કરવું જોઈએ. જે વાતો પહેલાં બતાવી છે એમનું પાલન તો કરવાનું જ છે. એ સિવાય પાંચ વિશેષ ધાર્મિક કર્તવ્યોનું પર્યુષણાપર્વમાં પાલન કરવાનું છે. પહેલું કર્તવ્ય છે અમારિ-પ્રવર્તનનું. બીજું કર્તવ્ય છે સાધમિક વાત્સલ્યનું ત્રીજું કર્તવ્ય છે પરસ્પર ક્ષમાપનાનું. ચોછું કર્તવ્ય છે અઠ્ઠમ તપનું અને પાંચમું કર્તવ્ય છે ચૈત્યપરિપાટીનું. અમારિ-પ્રવર્તનઃ પદનોના સામાન્ય કર્તવ્યોમાં જીવંદયાનું પાલન, આરંભત્યાગ, વગેરે વાતો આવે જ છે, પરંતુ આ તો તમારા લોકોના વ્યક્તિગત જીવન માટે છે. પર્યુષણાપર્વમાં વિશેષરૂપે જીવદયાનું કાર્ય કરવા માટે કહ્યું છે. “અમારિ પ્રવર્તન' કરવાનું કહ્યું છે. એટલે જે ગામમાં જે શહેરમાં તમે રહો છો એ ગામમાં-નગરમાં કોઈ પણ વ્યક્તિ જીવહિંસા ન કરે-એવો ઉપાય કરવાનો છે. પર્યુષણામહાપર્વના આઠ દિવસોમાં સમગ્ર ગામનું વાતાવરણ જ અહિંસામય થવું જોઈએ. એટલે કે નાના-મોટા સર્વ જીવો નિર્ભય થવા જોઈએ. પશુ-પક્ષીઓને પણ અભયદાન મળવું જોઈએ. આઠ દિવસ કતલખાના બંધ રહેવાં જોઈએ. જે ગામમાં જૈનોનો અજૈન પ્રજા ઉપર પ્રભાવ હશે, તે જ ગામમાં આ કાર્ય થઈ શકે છે. તમારા મહાપર્વનું ગૌરવ અજૈન લોકો ત્યારે જ માન્ય રાખશે, કે જ્યારે તમારા એ લોકો સાથે સારા સંબંધો હશે. દરેક ગામમાં પ્રાયઃ માંસાહાર કરનારા લોકો હોય છે. તમારા પર્વના દિવસોમાં એ લોકો શા માટે માંસાહાર ત્યજે? તમારો એમની સાથે સારો સંબંધ હશે તો જ તેઓ તમારા કહેવાથી છોડશે. પૂર્વકાળમાં-બારમી શતાબ્દીમાં ગુજરાતના રાજા કુમારપાળે સંપૂર્ણ ગુજરાતમાં જીવહિંસા બંધ કરાવી હતી. તે બંધ કરાવી શક્યા હતા, કારણ કે તેઓ રાજા હતા! તેમની પાસે સત્તા હતી. સત્તાથી એ કામ સરળ બની જાય છે. આજ જેનો પાસે સત્તા ક્યાં છે? - આચાર્યદવ હેમચંદ્રસૂરિજીએ સર્વપ્રથમ કુમારપાળને નિરામિષાહારી બનાવ્યા હતા. પછી તેમણે તે રાજા દ્વારા સમગ્ર ગુજરાતમાં હિંસા બંધ કરાવી હતી. રાજ્યમાં ઘોષણા કરાવી હતી. – ભલે ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, બ્રાહ્મણ હોય, યા શૂદ્ર હોય, કોઈ પણ વ્યક્તિ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy