SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ૬. ખેતરમાં હળ ચલાવવું નહીં. ૭. યાંત્રિક વાહન ચલાવવું નહીં. ૮. દળવું-ખાંડવું નહીં. ૯. સજીવ (સચિત્ત) વસ્તુ ખાવી નહીં. ૧૦. ઘર-દુકાન વગેરે બનાવવાં નહીં. સુધરાવવાં-સમરાવવાં નહીં. ૧૧. વનસ્પતિ તોડવી નહીં. પર્વ-પ્રવચનમાળા ૧૨. યાત્રા કરવી નહીં. પોતાના કુટુંબની આજીવિકા માટે અનિવાર્ય રૂપે કોઈ આરંભયુક્ત વ્યવસાય કરવો પડે તો અલ્પ પ્રમાણમાં કરવો જોઈએ. પરંતુ સચિત્ત (જીવત્વયુક્ત) આહારત્યાગ તો કરી જ શકો છો. હા, કોઈ બીમારી હોય અને એક બે સચિત્ત ફળશાકભાજી લેવાં જરૂરી હોય તો એક બે ચિત્ત વસ્તુઓ છોડીને શેષ સચિત્તનો ત્યાગ કરવો જોઈએ. જો તમે પર્વના દિવસોમાં પૌષવ્રત' કરતા હો તો લગભગ સર્વ પાપોમાંથી મુક્ત થઈ શકો છો. પરંતુ પૌષધ ન કરતા હો તો પાપોથી બચવા માટે ખૂબ જાગૃત રહેવું પડશે. જે રીતે જીવહિંસાથી બચવાનું છે, તે રીતે અસત્ય-જૂઠથી પણ બચવાનું છે. પર્વના દિવસોમાં જૂઠું ન બોલવું જોઈએ. નાની મોટી ચોરીયે ન કરવી જોઈએ. પર્વના દિવસોમાં ક્રોધ ન કરવો. ઝઘડા ન કરવા જોઈએ. લડવું પણ ન જોઈએ. સભામાંથી : અમારે ત્યાંતો પર્યુષણાપર્વના દિવસોમાં જ વધારે ઝઘડા થાય છે...અને તે પણ મંદિર અને ઉપાશ્રયમાં ! મહારાજશ્રી : માત્ર તમારે ત્યાં જ નહીં, ઘણા ગામોમાં એવું થાય છે. કેમ કે પર્યુષણાપર્વને તમે ધર્મઆરાધનાનું પર્વ નથી રહેવાં દીધું. રૂપિયા એકત્ર કરવાનું પર્વ માની લીધું છે. અને જ્યાં રૂપિયા આવે છે ત્યાં ઝઘડા આવે છે ! સંઘ-સમાજના તમામ હિસાબ આ મહાપર્વમાં જ કરો છો ને ? ઝઘડા થશે જ. જે પર્વમાં વર્ષભરના ઝઘડાને ક્ષમાના આદાન-પ્રદાનથી દૂર કરવાના છે, એ મહાપર્વમાં જ તમે લોકો ઝઘડા ઊભા કરો છો. મારું કહેવું માનશો ? માનો કે ન માનો, હું તો કહીશ કે તમે લોકો પર્યુષણા મહાપર્વમાં સંધના હિસાબો જ છોડી દો. હિસાબ કિતાબ માટે અને ફંડફાળા માટે બીજા દિવસો નક્કી કરો. નહીંતર તમે લોકો સંઘ-સમાજને ભારે નુકસાન પહોંચાડશો. પર્યુષણાપર્વ અને ચૈત્ર આસોની ઓળીના દિવસોને (Pure) શુદ્ધ ધર્મઆરાધનાના દિવસો રહેવા દો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy