SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) ઓછામાં ઓછું મહિનામાં એક દિવસ પણ પૌષધદ્રત કરવું જોઈએ. એનાથી મનને એક Change પરિવર્તન મળે છે. મનને વિશ્રામ મળે છે. આત્માની સ્મૃતિ, મહાત્માઓનો સંપર્ક અને પરમાત્મા ધ્યાનનો સમય મળે છે. બીજી ધર્મઆરાધના છે બ્રહ્મચર્યપાલનની. જો કે પૌષધવ્રત કરનારાઓથી સહજ રીતે બ્રહ્મચર્યનું પાલન થઈ જાય છે, પરંતુ જે લોકો પૌષધ નથી કરી શકતા; એ લોકોએ પણ પર્વના દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. બ્રહ્મચર્યનો મહિમા ગાતાં જ્ઞાનીઓએ કહ્યું છે. દેવ – તાવ – વંથળા – ગg – રવસ – વિનરા | बंभयारिं नमसंति दुक्करं जं करंति तं ॥ जो देइ कणयकोडिं अहवा कारेइ कणयजिणभवणं । तस्स न तत्तिय पुण्णं जत्तिय बंभवए धरिए ॥ દુષ્કર બ્રહ્મચર્યવ્રતનું પાલન કરનારાઓનાં ચરણોમાં દેવ, દાનવ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ અને કિંજરો પણ નમસ્કાર કરે છે.” કોઈ મનુષ્ય કરોડ સુવર્ણમુદ્રાનું દાન આપે અથવા સોનાનું મંદિર બનાવી દે. એને પણ એટલું પુણ્ય થતું નથી કે જેટલું બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાથી થાય છે.” મનથી, વાણીથી અને શરીરથી જે માણસ મૈથુનનો ત્યાગ કરે છે. એ મનુષ્યના વિચારોમાં, વાણીમાં દિવ્ય શક્તિ પેદા થાય છે. તેના શરીરની ધાતુઓ પ્રભાવશાળી બની જાય છે. તેણે પહેરેલાં વસ્ત્રો પણ ચમત્કારી બની જાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી તેનું મનોબળ દૃઢ બને છે. શરીરનું સ્વાથ્ય સારું રહે છે. શરીરની કાન્તિ અને તેજ વધે છે. એટલા માટે બની શકે તેટલા વધારે સમય માટે બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું જોઈએ. ત્રીજી વિશેષ ધર્મઆરાધના છે અનારંભની. પર્વના દિવસોમાં એવાં કાર્યો ન કરવાં જોઈએ કે જેનાથી જીવહિંસા થતી હોય. જો કે પૌષધદ્રત કરવાથી સર્વ પ્રકારના આરંભ-સમારંભ છૂટી જાય છે પરંતુ પૌષધવ્રત ન કરનારાઓએ પણ પર્વના દિવસોમાં નીચેનાં કાર્યો ત્યજી દેવાં જોઈએ. ૧. સ્નાન ન કરવું (પરમાત્મપૂજન માટે અલ્પ પાણીથી સ્નાન કરવું.) ૨. વાળ સુવ્યવસ્થિત ન કરવા (શોભા ન કરવી) ૩. વસ્ત્રો ધોવાં નહીં. ૪. વસ્ત્રો રંગવાં નહીં. ૫. જમીન ખોદવી નહીં. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy