SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પર્વ-પ્રવચનમાળા શાશ્વત નથી. તાત્પર્ય એ છે કે ચૈત્ર મહિનાની અને આસો મહિનાની જે અષ્ટાનિકાઓ છે, જેમાં આયંબિલ તપ કરવામાં આવે છે, અને નવપદની આરાધના કરવામાં આવે છે, એ બે અષ્ટાહ્નિકાઓ શાશ્વત્ છે. ભૂતકાળમાં આ મહિનાઓમાં આ બે અષ્ટાનિકાઓ હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં પણ હશે. બાકીની ચાર અષ્ટાહ્નિકાઓ અશાશ્વત્ છે. એટલે કે એમનો સમય બદલાતો રહે છે. પર્યુષણા પર્વનો કાળ પણ અનિશ્ચિત છે. એટલે કે ભૂતકાળમાં બીજા તીર્થંકરોના શાસનમાં અને ભવિષ્યમાં થનારા તીર્થંકરોના સમયમાં પર્યુષણાપર્વ અને બીજી ત્રણ અઠ્ઠાઈઓ બીજા-બીજા મહિનાઓમાં પણ હોઈ શકે છે. આ માસિક અને વાર્ષિક પર્વના દિવસોમાં ચાર પ્રકારની વિશેષ ધર્મઆરાધના કરવી જોઈએ. 'पव्वेसु पोसहाई बंभ - अणारंभतव विसेसाई' । ૧. પૌષધ કરવો જોઈએ, ૨. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ૩. આરંભ સમારંભનો ત્યાગ કરવો જોઈએ, અને ૪. વિશેષ તપ કરવા જોઈએ. આ ચાર પ્રકારની ધર્મઆરાધનાનું સંક્ષેપમાં વિવેચન કર્યા બાદ શ્રી પર્યુષણાપર્વનાં પાંચ કર્તવ્યોના વિષયમાં વિવેચન કરીશ. પહેલી આરાધના પૌષધવ્રત'ની બતાવવામાં આવી છે. પૌષધવ્રત નિવૃત્તિરૂપ છે. સંસારની સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લેવાની હોય છે. ‘સામાયિકમાં ૪૫ મિનિટની નિવૃત્તિ લેવામાં આવે છે. પૌષધમાં ઓછામાં ઓછી ચાર પ્રહરની એટલે કે ૧૨ કલાકની નિવૃત્તિ લેવામાં આવે છે. જે દિવસે પૌષધવ્રત કરવાનું હોય એ દિવસે સ્નાન-વિલેપન વગેરેથી શરી૨શોભા કરવી ન જોઈએ. એ દિવસે ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ ન થઈ શકતો હોય તો આયંબિલ, નીવી યા એકાસણું કરી શકાય છે. એ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે, અને કોઈ પણ પ્રકારનું ગૃહકાર્ય કરી શકાય નહીં. પ્રતિક્રમણ, પ્રતિલેખન, દેવવંદન, ગુરુવંદન, સ્વાધ્યાય...ધ્યાન આદિ ધર્મઆરાધના કરવાની હોય છે. આ વ્રત ગુરુદેવના સાન્નિધ્યમાં કરવું જોઈએ. ઉપાશ્રય ન હોય તો પોતાના ઘરમાં એકાન્ત ઓરડામાં કે જ્યાં ઘરના લોકોની અવરજવર ઓછી હોય, જ્યાં આરંભ (પાપકાય) ન થતો હોય, જ્યાં વિકારજન્ય ચિત્રો ન હોય, જ્યાં ઘ૨ના માણસોની વાતો સંભળાતી ન હોય, ત્યાં કરી શકો છો. તાત્પર્ય એ છે કે સંસારને સંપૂર્ણ રીતે ભૂલી જવાનો છે ! સંસારને ભૂલી જવાનો આ નાનકડો પ્રયોગ છે. અલ્પ સમયનું સાધુ જીવન છે. ! Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy