SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) ૪૧ પર્વદિનોનાં કેટલાંક કર્તવ્યો બતાવતાં આચાર્યદવ ઉદયસોમસૂરિજી કહે છેઃ पव्वे पोसहाई बंभ-अणारंभ- तव विसेसाई । आसो अ चित्तअट्ठठाहिअपमुहेसु विसेसेणं ॥ પર્વ બે પ્રકારનાં હોય છે માસિક પર્વ અને વાર્ષિક પર્વ. પાંચમ, આઠમ, ચૌદશ વગેરે માસિક પર્વો છે અને છ અષ્ટાકિા વાર્ષિક પર્વ છે. अष्टाह्निका षडेवोक्ताः कृपावदिभर्जिनोत्तमैः । तत्स्वरुपं समाकर्ण्य ताः सेव्या विधिपूर्वकम् ।। કૃપાવંત જિનેશ્વરદેવોએ છ અષ્ટાનિકા (આઠ દિવસોની યાત્રા) બતાવી છે. એનું સ્વરૂપ જાણીને વિધિપૂર્વક એની આરાધના કરવી જોઈએ. ૧. ચેત્ર મહિનાની અષ્ટાનિકાઃ ચૈત્ર મહિનામાં જે આયંબિલની ઓળી આવે છે, એ પહેલી અષ્ટાહ્નિકા છે. જો કે એ ઓળી નવ દિવસની હોય છે. તો પણ એને “અષ્ટાનિકા' કહેવામાં આવી છે. આ રૂઢ પ્રયોગ છે. ૨. અષાઢની અષ્ટાનિકા : અષાઢ શુક્લા ૭ થી ૧૪ સુધીના આઠ દિવસો પર્વના માનવામાં આવે છે. અષાઢશુક્લ ચૌદશથી ચાતુમસિનો પ્રારંભ થાય છે. ૩. ભાદરવાની અણહિનકાઃ આ અષ્ટાનિકા છે પર્યુષણ પર્વના આઠ દિવસની. ૪. આસો મહિનાની અષ્ટાહિનકાઃ આસોની જે આયંબિલની ઓળી આવે છે એ ચોથી અષ્ટાનિકા છે. ૫. કાર્તક મહિનાની અાનિકા કાર્તક શુક્લા ૭ થી ૧૪ સુધીના આઠ દિવસો પણ પર્વના દિવસો માનવામાં આવ્યા છે. ૬. ફાગણ મહિનાની અષ્ટાનિકા ફાગણ શુક્લા ૭ થી ૧૪ સુધીના આઠ દિવસો પર્વના દિવસો માનવામાં આવ્યા આ છ અાનિકાઓ (અઠ્ઠાઈઓ)માં શાશ્વતુ-અશાશ્વતનો ભેદ છે. એટલે કે બે અષ્ટાનિકાઓ શાશ્વતું છે અને ચાર અાનિકાઓ અશાશ્વત છે. એટલે કે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy