SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) સાધર્મિક વાત્સલ્યઃ પર્યુષણા મહાપર્વનું બીજું કર્તવ્ય છે સાધર્મિક વાત્સલ્યનું. પરમાત્મા જિનેશ્વરદેવના ધર્મશાસનને માનનારા સાધર્મિક કહેવાય છે. ધર્મક્રિયાઓ કોઈ વધારે કરનારા હોય તો કોઈ ઓછી કરનારા હોય, પરંતુ જિનશાસન પ્રત્યે શ્રદ્ધાવાન હોય તો તે સાધર્મિક કહેવાય છે. ભલે નામથી યા કુળગોત્રથી જૈન હોય તો પણ તે સાધર્મિક છે. પ્રત્યેક સાધમિક પ્રત્યે તમારા મનમાં સ્નેહ અને આદર હોવો જોઈએ. ગરીબ હોય યા શ્રીમંત હોય, દરેકના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. પરમાત્મા જિનેશ્વરદેવના સર્વકલ્યાણકારી ધર્મશાસનની પરંપરા સાધર્મિકોથી ચાલી રહી છે, અને ભવિષ્યમાં પણ સાધર્મિક જૈન સ્ત્રી-પુરુષોથી ચાલનારી છે. આ દ્રષ્ટિથી વિચારશો તો તમારા મનમાં સાધર્મિકો પ્રત્યે સદ્ભાવ પેદા થશે. અમારા લોકોનો (સાધુ-સાધ્વીઓનો) તો એવો અનુભવ છે કે જે ગામમાં માત્ર એક જ જેન ઘર હોય છે, ગરીબ હોય છે છતાં પણ અમારા લોકોનો પૂરો ખ્યાલ રાખે છે. એટલે કે આવાસ અને ભિક્ષા આપે છે. કોઈવાર દવા યા ડૉક્ટરની જરૂર પડતાં તે સુવિધા પણ પ્રાપ્ત થાય છે... શું આ ઓછી મહત્ત્વની વાત છે? ભલે ને તે પરિવાર મંદિરમાં ન જતો હોય, સામાયિક યા પ્રતિક્રમણ ન કરતો હોય, રાત્રિભોજન કરતા હોય, છતાં પણ અવસર ઉપસ્થિત થતાં “આ જૈન પરિવાર છે, તકલીફમાં છે. કોઈ બીજા પ્રાન્તમાંથી આવ્યો લાગે છે. પરંતુ તરત જ સહાય કરે છે. ગાડીની લાંબી મુસાફરીમાં જ્યારે કોઈ જૈનની કંપની મળી જાય છે તો તમને કેટલો આનંદ થાય છે? કેટલી નિશ્ચિતતા અને નિર્ભયતા મળી જાય છે? પરદેશમાં જ્યાં કોઈ જેને પરિવાર હોવાની સંભાવના ન હોય ત્યાં તમે ગયા અને અચાનક એ શહેરમાં કોઈ જૈન પરિવાર મળી જાય, તો કેટલો આનંદ થાય છે? કેટલું આશ્વાસન મળે છે? એટલા માટે બધાં ધાર્મિક સ્ત્રી-પુરુષોનું વાત્સલ્ય” કરવાનો ઉપદેશ જ્ઞાની પુરુષોએ આપ્યો છે. “સાધર્મિક વાત્સલ્ય...! કેટલો સુંદર શબ્દપ્રયોગ છે ? સાધમિકો પ્રત્યે વાત્સલ્યભાવ હોવો આવશ્યક છે. એની જે સેવા, ભક્તિ, સહાયતા કરવાની છે તે વાત્સલ્યભાવથી કરવાની છે. સાધર્મિક-વાત્સલ્ય એક મહા ધર્મ-આરાધના છે એની મહાનતા નીચેની પ્રાચીન અને પ્રામાણિક શ્લોક ઉપરથી જણાશેઃ एगत्थ सव्वधम्मा, साहम्मिअवच्छलं तु एगत्थ । बुद्धितुलाए तुलिया दोवि अ तुल्लाई भणिआई ॥ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy