SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પર્વ-પ્રવચનમાળા કૃપારસકોષ' નામના ગ્રંથની ખાસ રચના કરી હતી. આવાં અનેક ઉદાહરણો જિનશાસનના ઈતિહાસમાં ઉપલબ્ધ થાય છે. વર્તમાનમાં પણ હજારો સ્ત્રી-પુરુષોના જીવનમાં જિનવાણીના શ્રવણથી સુંદર પરિવર્તન આવ્યું છે, કેટલાય પ્રકારના પાપોથી તેઓ મુક્ત બન્યાં છે. અને કેટલાય પ્રકારની ધર્મઆરાધના કરવા લાગ્યાં છે. પરમાત્માના મંદિરમાં પગ પણ ન મૂકનારાં પરમાત્માના દર્શન-પૂજનમાં મગ્ન બન્યાં છે. સાધુપુરુષોથી દૂર રહેનારાં ગુરુસેવા કરવામાં તત્પર બન્યાં છે. વાતવાતમાં રોષ અને રીસ કરનારાં ક્ષમાશીલ બન્યાં છે. રાતદિવસ પૈસા કમાવામાં જ લીન રહેનારા મનુષ્યો સમય કાઢીને સ્વાધ્યાય અને સામાયિક કરવા લાગ્યા છે. ક્લબોમાં, હોટલોમાં જઈને ખાનારપીનાર અને જુગાર રમનારાઓએ એ માર્ગ સદાને માટે છોડી દીધો છે. શુભ કાર્યોમાં એક પૈસો પણ ન ખર્ચનારાઓએ શુભ કાર્યોમાં લાખો રૂપિયા ખર્ચા છે. દિવસમાં ૪૫૦ સિગરેટ પીનારાઓએ સર્વેથા એનો ત્યાગ કર્યો છે. જિનવાણીના શ્રવણથી કેટલાક લોકોએ કંદમૂળ, રાત્રિભોજન વગેરે પાપોનો ત્યાગ કર્યો છે. કેટલાય યુવક-યુવતીઓ વૈરાગી બનીને સાધુ-સાધ્વી બને છે. કેટલાય સ્ત્રી-પુરુષો વ્રતધારી શ્રાવક-શ્રાવિકાઓ બને છે. દાન, શીલ અને તપમાં ભાવોલ્લાસ પામે છે. એક શહેરમાં અમારું ચાતુમસ હતું. રવિવારનો દિવસ હતો. બપોરે જાહેર પ્રવચન હતું. એક જૈન યુવક પોતાના અજેન મિત્રને પ્રવચનમાં લાવ્યો હતો. પ્રવચન પૂર્ણ થયા પછી એ બંને મિત્રો મારી પાસે આવ્યા. અજૈન યુવક સરકારી નોકર હતો. તેણે કહ્યું: “આજ આપે મારું જીવન બચાવી લીધું. હું ઘેરથી આત્મહત્યા કરવા માટે નીકળ્યો હતો. રસ્તામાં મારો આ મિત્ર મળી ગયો. આગ્રહ કરીને મને આ પ્રવચનમાં લાવ્યો. પ્રવચન સાંભળતાં સાંભળતાં મારા મનના પ્રશ્ન હલ થઈ ગયા...મન શાંત થઈ ગયું. આત્મહત્યાનો વિચાર ચાલ્યો ગયો. હું દરરોજ પ્રવચન સાંભળવા આવી શકું?” આવા - આ પ્રકારના બીજા અનુભવો પણ થયા છે. જિનવાણીનો જ પ્રભાવ છે. જ્યારે જ્યારે જિનવાણી સંભળાવનાર ગુરુનો સંયોગ મળે. ત્યારે ત્યારે અવશ્ય સાંભળવી જોઈએ. – જિનવાણીનું શ્રવણ આદરથી, પ્રેમથી કરવું જોઈએ. - સાંભળતી વખતે દૃષ્ટિ વક્તા તરફ રાખવી જોઈએ. – અપ્રમત્ત (પ્રમાદ વગર) ભાવથી બેસવું જોઈએ. - સાંભળતી વખતે અંદરો અંદર વાતો ન કરવી જોઈએ. - મંગલાચરણથી જ હાજર રહેવું જોઈએ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy