________________
પર્વ-પ્રવચનમાળા
કેટલાના દોષ જોશો ? કેટલાને સુધારશો ? કેટલા દોષો જોશો ? જોવામાં જ જિંદગી પૂરી થઈ જશે તો ? પોતાના દોષો ક્યારે જોશો ? દોષ તો આપણા પોતાના જ જોવાના છે. બીજાંને સુધારતા પહેલાં આપણે જાતે જ સુધરવાનું છે. બીજાંના દોષની નિંદા કરતા પહેલાં એ જુઓ કે “શું મારામાં દોષ નથી ?"
હા, તમે દોષરહિત બનીને બીજાંના દોષ જોઈ શકો છો. પહેલાં પોતે દોષરહિત બનો. ડાક્ટર બનીને જ દર્દીના દર્દને જોઈ-વિચારી શકો છો. ઉપચાર કરી શકો છો. છઠ્ઠું દિનકૃત્ય ઃ જિનવાણીશ્રવણ :
છઠ્ઠું અને અંતિમ દિનકૃત્ય છે જિનવાણીનું શ્રવણ. સર્વ કર્તવ્યોમાં વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે આ જિનવાણીશ્રવણનું કર્તવ્ય. એક મહર્ષિએ કહ્યું છે.
૩૬
श्रुत्वा धर्मं विजानाति श्रुत्वा त्यजति दुर्गतिम् । श्रुत्वा ज्ञानमवाप्नोति श्रुत्वा मोक्षं च गच्छति ॥ જિનવચન સાંભળવાથી મનુષ્ય ધર્મને જાણે છે. દુર્ગીતનો યાગ કરે છે. સમ્યજ્ઞાન પ્રાપ્ત કરે છે અને મોક્ષમાં જાય છે.
જિનવચન આગમગ્રંથોમાં સંગ્રહિત છે. આગમગ્રંથોના માધ્યમથી મહાન શ્રુતધર આચાર્યોએ બીજા-બીજા ગ્રંથોની રચનાઓ કરી છે. ગ્રંથોનું વિશેષ પ્રવચનવિવેચન સદ્ગુરુના મુખથી સાંભળવું જોઈએ. જેમણે ગુરુપરંપરાથી આગમગ્રંથોનું અધ્યયન કર્યું હોય, જેઓ સંયમી અને પ્રજ્ઞાવંત હોય, એ ગુરુજનો જિનવચનોનો યથાર્થ બોધ આપી શકે છે.
એક વાત યાદ રાખવી કે જિનવાણીનું શ્રવણ આત્માને વિશુદ્ધ કરવા માટે કરવાનું છે. વિશુદ્ધ આત્મા જ મોક્ષદશા પામી શકે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલા સંસારમાં જીવોને શાન્તિ, સમતા અને પ્રસન્નતા એક માત્ર જિનવચન જ આપી શકે છે, એટલા માટે પ્રતિદેન જિનવાણીનું શ્રવણ કરવું જોઈએ.
તમે લોકો સારી રીતે જાણો છો કે સ્કૂલ અને કોલેજોનું શિક્ષણ કેવું હોય છે. ખરેખર તો તે શિક્ષણ જ નથી. મનને, આત્માને, રોગી બનાવનારી વાતો એમાં મળે છે. એવી વાતો મગજમાં ભરીને મનુષ્ય જીવનને શું આનંદમય બનાવી શકાય ? અવિનય, અવિવેક અને ઔદ્વત્યથી આજનો માનવ-સમાજ પતનની ખીણમાં પડતો જાય છે.
આવી વિષમ પરિસ્થિતિમાં એક માત્ર સહારો જિનવચન છે. વૈષયિક સુખોની તીવ્ર સ્પૃહા અને સંપત્તિનો તીવ્ર લોભ જિનવચન જ દૂર કરી શકે છે. એટલે કે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનાં વચનો સાંભળવાથી જ લોભ તેમજ આસક્તિ ઓછી. થઈ શકે છે.
મનુષ્યના મનમાં અનેક પ્રશ્નો, અનેક સમસ્યાઓ ઊભી થાય છે. એથી મનુષ્ય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org