SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) મંદિરની મૂર્તિને જ ગાયબ કરી દઉં...તો? “વાંસ રહે તો વાંસળી વાગે ને?” તમામ ધમાલ ખતમ થઈ જશે.” તેણે પોતાની દાસી દ્વારા મૂર્તિની ચોરી કરાવી. મૂર્તિ લઈને તે નગરની બહાર જ્યાં કચરાનો ઢગલો પડ્યો હતો, ત્યાં ગઈ અને તેમાં મૂર્તિને દાટી દીધી. અચાનક ત્યાંથી એક સાધ્વીજી પસાર થાય છે. તે રાણીને પૂછપરછ કરે છે. મૂર્તિ બહાર કઢાવે છે. ઉપદેશ આપીને રાણીને તેની ભૂલ સમજાવે છે. મૂર્તિ લઈને રાણી પોતાના મહેલે પહોંચી જાય છે. આ બાજુ લક્ષ્મીવતીએ જ્યારે મંદિરમાં ભગવાનની મૂર્તિ ન જોઈ તો તે ચિંતિત થઈ ગઈ. મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે ખાવાપીવાનું ત્યજી દીધું. રાજાએ મૂર્તિની શોધ શરૂ કરાવી. કનકોદરીએ પોતે જ મૂતિને યથાસ્થાને ગોઠવી દઈ લક્ષ્મીવતીની ક્ષમા માગી. કનકોદરીએ કેવું પાપકર્મ બાંધ્યું તે તમે જાણો છો? લક્ષ્મીવતીનો ભગવાનથી વિરહ કરાવ્યો. બીજા જન્મમાં કનકોદરીના જીવને ૨૨ વર્ષ સુધી પતિનો વિરહ રહ્યો. મૂતિને કચરાના ઢગલમાં દાટી હતી એને લીધે એના ઉપર બીજા જન્મમાં વ્યભિચારિણીનું કલંક લાગ્યું. યાદ રાખો દરેક ક્રિયાનું ફળ મળે છે. કોઈ ફળ જલદી મળે છે તો કોઈ ફળ પાછળથી મળે છે. ફળ અવશ્ય મળશે. ગુણદ્વેષી ન બનો, ગુણાનુરાગી બનો. શત્રુમાં પણ ગુણ જોઈને અનુરાગી બનો. શત્રુના ગુણોની પણ પ્રશંસા કરો. ગુણદર્શન અને ગુણાનુરાગનો પ્રારંભ પોતપોતાના ઘેરથી કરો. ઘરમાં માતાપિતામાં, ભાઈ બહેનમાં... દરેકમાં કોઈને કોઈ ગુણ જુઓ. દરેક વ્યક્તિમાં ગુણ હોય જ છે. ડાકુમાં પણ એક-બે વિશેષ ગુણ હોય છે. મોટા લોકોમાં ગુણ હોય છે તેમ બાળકોમાં પણ ગુણ હોય છે. પુરુષોમાં ગુણ હોય છે એ રીતે મહિલાઓમાં પણ ગુણ હોય છે. જો તમારા ઘરમાં તમે ગુણદર્શન કરવા લાગશો તો ઘરમાં કદી ઝઘડા નહીં થાય, કદી મનભેદ નહીં થાય, થશે તો પણ સમાધાન થવામાં વાર નહીં લાગે. સભામાંથી ઘરમાં કોઈ ભૂલ કરતું હોય તો એને ભૂલ બતાવવી ન જોઈએ? મહારાજશ્રી ભૂલ બતાવવા બતાવવામાં ફેર હોય છે. જેના પ્રત્યે પ્રેમ હોય છે, તેની ભૂલ કેવી રીતે બતાવો છો? જેના પ્રત્યે દ્વેષ હોય એની ભૂલ કેવી રીતે બતાવો છો? ગુણદર્શનથી જેના પ્રત્યે પ્રેમ થયો હશે તે વ્યક્તિની ભૂલ તમે પ્રેમથી બતાવશો. દોષદર્શનથી જેના પ્રત્યે દ્વેષ થયો હશે તે વ્યક્તિની ભૂલ તમે ક્રોધ કરીને બતાવશો. ક્રોધથી ભૂલ બતાવવાથી વ્યક્તિ સુધરતી નથી. ક્રોધ કરવાથી તમે જરૂર બગડશો! Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy