SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પાંચમું દિનકૃત્ય ઃ ગુણાનુરાગ જેનું હૃદય પરમાત્મપ્રીતિથી, ગુરુભક્તિથી, સુપાત્રસેવાથી અને દુઃખી પ્રત્યે કરુણાથી સભર હોય છે, તે મનુષ્ય બીજાંના ગુણો જ જોવા જોઈએ. તે સર્વત્ર ગુણદર્શન જ કરે, ગુણ જોઈને ગુણોની અનુમોદના જ કરે. પર્વ-પ્રવચનમાળા બીજાંના દોષ જોવાથી, દોષિત જીવોનો અવર્ણવાદ કરવાથી પાપકર્મો તો બંધાય જ છે. સાથે સાથે એ દોષો, જોનારમાં પણ આવી જાય છે. એટલા માટે બીજાંના દોષ ન જોવાનો ઉપદેશ જ્ઞાનીપુરુષોએ આપ્યો છે. શા માટે દોષદર્શન કરવું જોઈએ ? દોષદર્શનથી દ્વેષ પેદા થાય છે. મનની પ્રસન્નતા નષ્ટ થઈ જાય છે. બીજાનો પ્રેમ મળતો નથી. સભામાંથી : પરંતુ પ્રત્યક્ષ દોષ દેખાતા હોય તો શું કરીએ? મહારજશ્રી ઃ દોષોની ઉપેક્ષા કરો. જોયા પછી દોષોનું ચિંતન ન કરો. પરંતુ એવું વિચારો કે, ‘જ્યાં દોષ હોય છે ત્યાં ગુણ હોય જ છે.' જે મનુષ્યમાં દોષ હશે, તેનામાં ગુણ પણ હશેજ. એટલા માટે મનુષ્યમાં ગુણ જોઈને રાજી થાઓ. ગુણોના માધ્યમથી બીજા જીવો સાથે પ્રેમ કરવો જોઈએ. કેટલાક લોકો ગુણદ્વેષી હોય છે. બીજાંના ગુણની પ્રશંસા નથી કરી શકતા, સાંભળી ય નથી શકતા. એનાથી એમનું મન અશાન્ત બની જાય છે. તેઓ અંદર હૃદયમાં બળે છે, ને પાપકર્મોનો બંધ કરતા રહે છે. ‘જૈન રામાયણ’માં બે રાણીઓની એક વાર્તા આવે છે. રાજાને બે રાણીઓ હતી, એકનું નામ હતું લક્ષ્મીવતી, બીજીનું નામ હતું કનકોદરી. લક્ષ્મીવતી પરમાત્મા જિનેશ્વરદેવની પરમ ભક્ત હતી. ઉદાર હતી, કરુણાવતી હતી. વિનમ્ર હતી. તેણે મહેલમાં એક નાનકડું સુંદર જિનમંદિર બનાવ્યું હતું, અને રત્નની નાનીશી જિનમૂર્તિ સ્થાપિત કરી હતી. રાણી દરરોજ સવાર-સાંજ ગીતગાન સાથે પરમાત્માની ભક્તિ કરતી હતી. નગરના મુખ્ય લોકોના ઘરની સ્ત્રીઓ પણ લક્ષ્મીવતીના મંદિરમાં આવતી હતી અને પૂજા કરતી હતી. લક્ષ્મીવતી સર્વ સ્ત્રીઓ સાથે પ્રેમથી વ્યવહાર કરતી હતી. બીજી રાણી કનકોદરી હતી, તે લક્ષ્મીવતીની પ્રશંસા સાંભળીને બળતી હતી, ઈર્ષ્યા કરતી હતી. લક્ષ્મીવતીના મહેલમાં દિવસભરની જે હલચલ રહેતી હતી તેનાથી તે બળતી હતી. લક્ષ્મીવતીના ગુણોને તે સહન કરી શકતી ન હતી. ‘બધા લોકો લક્ષ્મીવતીના જ ગુણ ગાય છે, મારી તો કોઈ પ્રશંસા કરતું જ નથી.’ ન કનકોદરી ગુણદ્વેષી હતી. લક્ષ્મીવતીનો કોઈ ગુણ તો જોઈ શકતી ન હતી. તેણે વિચાર કર્યો, ‘લક્ષ્મીવતીના મહેલમાં બધી ચહલપહલ જિનમંદિરને કા૨ણે છે. તે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy