SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) ૩૩ જંગલમાં કરતો હતો. તે દોડયો. જઈને મુનિરાજનો હાથ પકડી પાડ્યો. અને બોલ્યો ઃ ‘મહાત્મા, મારે ઘેર પધારો.’ મુનિરાજે ભાવવિભોર છોકરાને જોયો અને તેના ઘેર આવ્યા. છોકરાએ મુનિરાજના પાત્રમાં બધી જ ખીર નાખી દીધી અને હર્ષથી નાચવા લાગ્યો ! મુનિરાજને એ દિવસે માસખમણનું પારણું હતું ! છોકરો તો જાણતો ન હતો કે મુનિરાજને આજે એક માસના ઉપવાસનાં પારણાં છે ! કેટલા ઉત્તમ સુપાત્રદાનનો લાભ એને મળી ગયો ! મુનિરાજ તો ચાલ્યા ગયા; પરંતુ છોકરો ખુશીથી નાચતો હતો. એની મા પાણી ભરીને આવી. છોકરો ખીરની થાળી ચાટતો હતો. તે જોઈને માએ વિચાર્યું : "મારા છોકરાને ખીર ખૂબ જ ભાવી છે, તો બીજી ખીર બનાવી દઉં.‘ તેણે ખીર બનાવીને આપી. છોકરાએ ખાધી. આખો દિવસ એ આનંદમાં રહ્યો. તેણે માને જાણ ન કરી કે મેં મુનિરાજને ખીર આપી દીધી હતી. રાત પડતાં જ છોકરાના પેટમાં ભારે દર્દ ઊપડ્યું...તેનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુના સમયે પણ તેના મનમાં તો પેલા મુનિરાજ જ હતા. મરીને તે રાજગૃહીમાં ગોભદ્ર શેઠને ત્યાં જન્મ્યો. તેનું નામ પાડવામાં આવ્યું શાલિભદ્ર ! દાન આપતા પહેલાં આનંદ થાય. દાન આપતી વખતે આનંદ થાય અને દાન આપ્યા બાદ આનંદ થાય તો પુણ્યકર્મ નિકાચિત બંધાય છે, પ્રબળ પુણ્યકર્મ બંધાય છે. શાલિભદ્રને સંસારનાં શ્રેષ્ઠ સુખ તો મળ્યાં, સાથે સાથે ભગવાન મહાવીર જેવા શ્રેષ્ઠ ગુરુ મળ્યા ! પૂર્વજન્મમાં મુનિરાજ સાથે પ્રેમ થઈ ગયો હતો ને ? આ ભવમાં શ્રેષ્ઠ ગુરુ મળી ગયા ! સુપાત્રદાનનો ધર્મ કેટલો મહાન છે, એ વિચારજો. પ્રતિદિન સુપાત્રે દાન કરવાનું છે. સુપાત્ર ન મળે તો પણ ભાવથી દાન આપવું. શ્રમણ ભગવાન મહાવીર જ્યારે સાધનાકાળમાં હતા, તપશ્ચર્યા કરી રહ્યા હતા એ સમયે એક નગરના બાહ્ય ઉદ્યાનમાં ઊતર્યા હતા ત્યારે જીરણ શ્રેષ્ઠી ભગવાનનાં દર્શન કરવા ગયા હતા અને ભગવાનને ભિક્ષા માટે ઘેર પધારવા વિનંતી કરી હતી. ઘેર જઈને ભગવાનના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી. અત્યંત પ્રેમથી જીરણ શેઠ ભગવાનની ભક્તિ કરવાના મનોરથ રાખતા હતા. જો કે ભગવાને પારણાં બીજી જગાએ કરી લીધાં. પરંતુ શુભ ભાવોમાં ડૂબેલા જીરણ શેઠ મરીને એ સમયે બારમાં દેવલોકમાં દેવ બન્યા. સુપાત્રદાન આપવાની ક્રિયા ન કરી શકયા, પરંતુ સુપાત્રદાન કરવાના ભાવ થઈ ગયા, તેથી પણ દેવગતિ પ્રાપ્ત કરી લીધી. એટલા માટે સુપાત્ર પ્રત્યે ભક્તિભાવ ટકાવી રાખો અને સુપાત્રદાનનો ધર્મ કરતા રહો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy