SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ-પ્રવચનમાળા કહેવાય છે. એ સુપાત્રો છે–સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા. એમને ભક્તિથી, પ્રેમથી, શ્રદ્ધાથી દાન આપવાનું હોય છે. એમને અનાથ, અશરણ વગેરે માનીને અનુકંપા દાન આપવાનું નથી. સુપાત્ર માટે દયાભાવ ન જોઈએ, એમના પ્રત્યે તો પૂજ્યતાનો ભાવ જોઈએ. આમ જોઈએ તો સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને તીર્થસ્વરૂપ માનવામાં આવ્યાં છે. ધર્મતીર્થરૂપ કહ્યાં છે. એટલે કે આ ચારેની સેવાભક્તિ તીર્થંકરની સેવાભક્તિ બને છે. પ્રતિદિન સુપાત્રને દાન આપવાનું કર્તવ્ય છે. આ દાનધર્મ એ ગૃહસ્થ જીવનનો શણગાર છે. સુપાત્ર પ્રત્યે પ્રેમ હશે, શ્રદ્ધા હશે, તો જ તમે એ કર્તવ્યનું પાલન કરી શકશો. “આજે સુપાત્રદાનનો યોગ મળ્યો કે નહીં. ભોજન કરતા પહેલાં આ વિચાર આવે છે? જો યોગ ન મળ્યો હોય તો બોલાવવા જાઓ છો ને ? સાધુસાધ્વીનો યોગ ન મળે તો કોઈ શ્રાવક-શ્રાવિકાને ઘેર લાવીને તેમની ભક્તિ કરો છો ને ? જરા વિચાર કરો અને આ કર્તવ્યોનું પાલન કરવા માટે સંકલ્પ કરો. સુપાત્રદાનનું ફળ (પરિણામ) જાણો છો? અપૂર્વ ફળ મળે છે સુપાત્રદાનનું. એક નાનકડું ગામ હતું. ગામની બહારના ભાગમાં ગરીબ લોકોની ઝૂંપડીઓ હતી. એક ઝૂંપડીમાં એક સ્ત્રી પોતાના પુત્રની સાથે રહેતી હતી. પુત્ર નાનો હતો; હશે ૮-૧૦ વર્ષનો. ગામની ગાયો-ભેંશોને જંગલમાં ચરાવવા લઈ જતો હતો. એ નાનો ગોવાળ-બાળક હતો. જે જંગલમાં પશુઓને લઈને જતો હતો ત્યાં રોજ એક મુનિરાજને જુએ છે. સ્વચ્છ જગાએ એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહેલા મુનિરાજને દૂરથી એ છોકરી જોયા કરે છે..માથું નમાવે છે. ભાવથી વંદન કરે છે. જ્યારથી એ છોકરાએ મુનિરાજને જોયા છે, ત્યારથી છોકરાના મનને તેઓ ગમી ગયા છે. કેટલાક દિવસો પછી એ છોકરાને ખીર ખાવાની પ્રબળ ઈચ્છા થઈ. તેણે માને કહ્યું: ‘મારા માટે ખીર બનાવી દે.' મા કેવી રીતે બનાવી દે? ન તો ચોખા હતા કે ન તો સાકર હતી, માને છોકરો ખૂબ પ્રિય હતો. છોકરાની ઇચ્છા મા પૂર્ણ કરી શકતી ન હતી. તે રોવા લાગી. છોકરો પણ રોવા લાગ્યો. મા અને છોકરાને રોતાં જોઈને પાડોશની સ્ત્રીઓ દોડતી આવી.. રડવાનું કારણ પૂછયું. માએ કારણ કહ્યું. પાડોશણોએ દૂધ, ચોખા અને સાકર લાવીને આપ્યાં. માએ ખીર બનાવી અને છોકરાને થાળીમાં પીરસી દીધી અને તે પાણી ભરવા માટે બહાર ચાલી ગઈ. ખીર ખૂબ ગરમ હતી એટલે છોકરો ખાતો નથી. એણે રસ્તા ઉપર જોયું. તે ચકિત થઈ ગયો. તેણે પેલા મુનિરાજને જોયા....કે જેમનાં દર્શન એક મહિનાથી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy