SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) ૩૧ રહેતો. કારણ કે વિવેક-અવિવેકનો ભેદ બુદ્ધિ કરે છે, જ્યારે અનુકંપાનો ભાવ હૃદય કરે છે. હૃદય બુદ્ધિને આધીન નથી રહી શકતું. લ્કય સ્વાધીન હોય છે. કરુણાથી, દયાથી, અનુકંપાથી ભરેલું દૃય તો દુઃખીને જોશે, અને તેનું દુઃખ દૂર કરવા માટે તેની પાસે જે હશે તે આપી દેશે. લેનારો પછી જે કરવું હોય તે કરે. સંસ્કૃત ભાષાના મહાકવિ માઘ દયાના સાગર હતા. જો કે તે હતા સ્વમાની, પરંતુ દરિદ્ર હતા. રાજસભાઓમાં જઈને રાજાઓને ખુશ કરવા માટે કાવ્યરચના કરવી, એ એમને પસંદ ન હતું. પરંતુ દરિદ્રતાથી ચિંતિત તેમની પત્નીના અતિ આગ્રહથી તેઓએ એક દિવસ રાજાની સભામાં જવાનો નિર્ણય કર્યો અને ગયા. કવિને આવેલા જોઈને રાજા ખૂબ ખુશ થયો. મહાકવિએ ઉત્તમ કાવ્યરચના સંભળાવી. રાજાએ માઘ કવિને શ્રેષ્ઠ ભેટ-ઈનામો આપીને તેમનું સન્માન કર્યું. રાજાએ હાથી આપ્યા, ઘોડા આપ્યા, સોનું-ચાંદી આપ્યાં, રૂપિયા આપ્યા અને દાળ-ચોખાની પોટલી પણ આપી. આ બધું લઈને જ્યારે કવિ રાજસભામાંથી બહાર નીકળ્યા તો તેમણે સેંકડો અપંગ, અનાથ, દુઃખી, રોગી લોકોને જોયા. તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમના દ્ધયમાં દયાનો સાગર ઊછળવા લાગ્યો. તેઓ એ લોકોને દાન આપવા લાગ્યા. કોઈને હાથી આપી દીધો, તો કોઈને ઘોડા આપી દીધા, સોનુંચાંદી...સિક્કા બધું આપતા જ ગયા. જ્યારે તેઓ પોતાને ઘેર પહોંચ્યા તો તેમની પાસે માત્ર દાળ-ચોખાની પોટલી જ બચી હતી. પરંતુ મહાકવિના હૃયમાં આનંદની લહેર નાચી રહી હતી. પત્નીને તેમણે બધી વાત જણાવી દીધી. પત્ની પતિની ઉત્કૃષ્ટ દયાભાવનાને જોઈને દિંગ થઈ ગઈ, તેણે દાળ-ચોખા લઈને ખીચડી રાંધી પતિને ભોજન માટે બેસાડયા, થાળીમાં ખીચડી પીરસી, તે જ સમયે દ્વાર ઉપર ભિક્ષામ્ દેહિનો અવાજ સંભળાયો. દ્વાર ખોલ્યું કવિએ, યાચકને જોઈને ખીચડીવાળી થાળી જ એને આપી દીધી ! અનુકંપાનો ભાવ અતિ શ્રેષ્ઠ કોટિનો ભાવ છે. એનાથી શ્રેષ્ઠ કોટિનું પુણ્યકર્મ બંધાય છે. કર્મબંધ ભાવ ઉપર નિર્ભર છે. બીજાંનાં દુઃખ દૂર કરવાનો ભાવ ઉત્તમ કોટિનો ધાર્મિક ભાવ છે. એ ભાવથી પ્રેરિત થઈને તમે દાન આપતા હો તો તમે પુણ્યકર્મ બાંધી લો છો. દાન લેનાર કોઈ પણ સારી-ખરાબ પ્રવૃત્તિ કરે, તમને પાપકર્મ નહીં બંધાય. ચોથું દિનત્ય સુપાત્રદાનઃ પરમાત્મપ્રીતિથી અને ગુરુભક્તિના પ્રભાવથી જેવી રીતે મનુષ્યના હૃદયમાં દયા-કરુણાનો ભાવ જાગે છે, એ રીતે સુપાત્ર આત્માઓ પ્રત્યે પૂજ્યતાનો ભાવ પેદા થાય છે. પરમાત્મા જિનેશ્વરદેવે બતાવેલા માર્ગે ચાલનારા સ્ત્રી-પુરુષો સુપાત્ર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy