________________
પૂર્વ-પ્રવચનમાળા
તમે લોકો જૈનધર્મનો ઈતિહાસ વાંચો તો તમને ખબર પડે કે ગુરુસેવા, ગુરુ સંપર્ક શું કામ કરે છે !
૩૦
ત્રીજું દિનકૃત્ય : જીવ અનુકંપા :
હવે, તમારા હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગૃત થઈ ગયો હશે, અને સદ્ગુરુઓ પ્રત્યે ભક્તિ જાગૃત થઈ હશે તો નાનામોટા દુઃખી જીવો પ્રત્યે અનુકંપા ઉત્પન્ન થશે. અનુકંપા-દાનની પ્રવૃત્તિ તમારા જીવનમાં થતી જ રહેશે. બીજાંનાં દુઃખ જોઈને તમારું હૃદય કંપવા લાગશે. દુઃખથી પરેશાન થતાં જીવોને જોઈને તમારું હૃદય વ્યથિત થઈ જશે. તમે એ જીવોનાં દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરશો જ. તમારું વ્યથિત હૃદય જ એ પ્રયત્ન કરવા પ્રેરશે.
પક્ષપાત વગર બીજાનાં દુઃખ દૂર કરવાની ઇચ્છાને અનુકંપા કહે છે. ‘અવક્ષપાતેન ટુકવપ્રહાળેછા અનુબંપા ઔચિત્યનું પાલન કરતાં દીન-અનાથઅસહાય જીવોને જે દાન આપવામાં આવે છે, એને અનુકંપાદાન કહે છે. ધર્મશાસ્ત્રમાં કહ્યું છે.
कृपणेऽनाथदरिद्रे व्यसनप्राप्ते च रोगशोकहते । यद्दीयते कृपार्थमनुकम्पा तद् भवेद्यनम् ॥
૧. કંજૂસને, ૨. અનાથને, ૩. દિદ્રને, ૪. દુઃખગ્રસ્તને, ૫. રોગીને, ૬. શોકાકુલને, દયાભાવને લીધે જે દાન આપવામાં આવે છે તેને અનુકંપા-દાન કહેવામાં આવે છે.
યાદ રાખજો, આ દૈનિક કર્તવ્યોની વાત ચાલી રહી છે. દરરોજ એવું દાન આપવાનું છે. દાન આપવામાં થાકવાનું નથી. જો તમારી પાસે આપવાની શક્તિ છે તો દાન આપવામાં કસર રાખવી નહીં.
દાનમાં ભોજન, વસ્ત્ર, પૈસા વગેરે લઈને તે લોકો શું કરે છે તે વાત વિચારવાની નથી. તે લોકો તમારા આપેલા દાનની વસ્તુઓથી પાપ પણ કરે, તમને એ પાપ નથી લાગતું. પાપ તો એને લાગે કે જે પાપ કરે છે.
હા, જો તમે જાણતા હો કે આ વ્યક્તિ પૈસા લઈને શરાબ જ પીએ છે, અથવા જુગાર રમે છે, યા માંસાહાર કરે છે, તો તમે એને પૈસા ન આપો. ભૂખ્યો હોય તો તમે એને તમારી સામે જ ભોજન કરાવો. તરસ્યો હોય તો પાણી આપો. નાગો હોય તો વસ્ત્ર પહેરાવો. એવા માણસને પૈસા ન આપવા. વિવેક તો દરેક ક્રિયામાં અપેક્ષિત છે જ.
અનુકંપાના ઉત્કટ ભાવ જાગે ત્યારે કોઈવાર વિવેક-અવિવેકનો ભેદ નથી પણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org