SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) તેજપાલે મ્યાનમાંથી તલવાર ખેંચી અને મામા તરફ દોડ્યો. અનુપમાદેવી સાવધાન હતી. વચ્ચે ઊભી રહી-નમ્રતાથી હાથ જોડીને તેજપાલને કહ્યું: “નાથ, મામાને અભયદાન આપવાની કૃપા કરો.' તેજપાલ અનુપમાદેવીની વાત ટાળી શકતો ન હતો. છતાં પણ મામાના જમણા હાથની એક આંગળીનો ઉપરનો ભાગ કાપી લીધો. કારણ કે દરરોજ ભોજન કરતી વખતે મામાને તેજપાલ યાદ આવે...અને જીવનમાં કદી ય સાધુપુરુષોને તે સતાવે નહીં. કેટલાક વર્ષોથી સાધ્વીજીઓની સુરક્ષાનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. વિહાર વખતે અનાડી લોકો ક્યાંક ક્યાંક સાધ્વીજીઓને સતાવે છે. એટલા માટે દરેક ગામમાં જૈનસંઘે સુરક્ષાનો બંદોબસ્ત કરવો જોઈએ. રાજસ્થાનમાં સાધુપુરુષો ઉપર પણ હુમલા થયા છે. માત્ર સભાઓ ભરીને પ્રસ્તાવો પસાર કરવાથી-વિરોધ કરવાથી રક્ષા થતી નથી. હુમલો કરનાર દુષ્ટ લોકોને એવો પાઠ ભણાવવો જોઈએ કે બીજી વાર હુમલો કરવાની હિંમત જ વિચાર જ ન કરે... એને માટે શક્તિ જોઈએ. હિંમત જોઈએ અને મરી ફીટવાની તૈયારી જોઈએ. સાધુપુરુષોની સેવાથી પારલૌકિક સુખ તો મળે જ છે, આ વર્તમાન જીવનમાં પણ સુખ મળે છે, શાન્તિ મળે છે. જ્ઞાન-દર્શન, ચારિત્રની પ્રાપ્તિ થાય છે. મહાન જ્ઞાની ગુરુદેવોના સંપર્કથી, તેમની સેવા-ભક્તિથી કેવાં કેવાં મહાનું કાર્યો કરનારા મહાપુરુષો થઈ ગયા-તમે લોકો જાણો છો? પ સિદ્ધસેન દિવાકરસૂરિજીના સંપર્કથી રાજા વિક્રમાદિત્યે પોતાનું જીવન સુધાર્યું હતું અને જિનશાસનની સેવા કરી હતી. આર્ય સુહસ્તિસૂરિજીના સંપર્કથી રાજા સંપ્રતિએ સવા લાખ જિનમંદિરો બંધાવ્યાં હતાં અને સવા કરોડ જિનપ્રતિમાઓ બનાવડાવી હતી. આચાર્ય બપ્પભટ્ટસૂરિના સંપર્કથી રાજા આમે પોતાનું જીવન તો સુધાર્યું હતું એ સાથે ધર્મશાસનની અપૂર્વ સેવા કરી હતી. આચાર્ય હેમચંદ્રસૂરિના સંપર્કથી રાજા કુમારપાળે સમગ્ર ગુજરાતમાં જીવહિંસા બંધ કરાવી હતી અને પોતાના જીવનમાં બાર વ્રતો અંગીકૃત કર્યા હતાં. આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના સંપર્કથી માંડવગઢના મહામંત્રી પેથડશાહે પોતાનું અને પરનું અપૂર્વ કલ્યાણ કર્યું હતું. આચાર્યશ્રી હીરવિજયસૂરિજીના સંપર્કથી બાદશાહ અકબરે સમગ્ર ભારતમાં અહિંસા ધર્મનો પ્રચાર કર્યો હતો અને પોતે ૬ મહિના માટે માંસાહાર ત્યજ્યો હતો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy