SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) ૨૫ રહેલા ભાવ હોય છે. એટલા માટે તમે પાણી અને પુષ્પની હિંસાના પાપથી ડરીને પૂજા ન કરતા હો તો એ કલ્પના મનમાંથી કાઢી નાખજો. પાણી અને પુષ્પની સ્વરૂપહિંસાનું પાપ, ધૂપ અને દીપની પૂજાથી થનાર સ્વરૂપહિંસાનું પાપ, પરમાત્મપ્રેમના શુભ ભાવોના પાણીમાં ધોવાઈ જાય છે. એટલા માટે નિશ્ચિંત અને નિર્ભય થઈને પરમાત્માની પૂજા કરતા રહો. દેવલોકના સમ્યદૃષ્ટિ દેવો પણ પરમાત્માની પૂજા કરે છે. દરેક દેવલોકમાં લાખોની સંખ્યામાં શાશ્વત્ જિનમંદિરો અને જિનપ્રતિમાઓ હોય છે. નંદીશ્વર દ્વીપ ઉપર પણ શાશ્વત્ જિનમંદિર અને જિનપ્રતિમાઓ હોય છે. ત્યાં દેવ-દેવીઓ તથા વિદ્યાધર મનુષ્યો જાય છે અને દર્શન-પૂજન કરે છે. ગીત, નૃત્ય કરીને પરમાત્મભક્તિ અભિવ્યક્ત કરે છે. પરમાત્મપ્રેમ કેવી રીતે જાગૃત થાય છે ? પરમાત્મા જિનેશ્વરદેવના અનંત અનંત ઉપકારોનો વિચાર કરીએ તો પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગૃત થશે. પરમાત્માના અનંત ગુણોનું ચિંતન-મનન કરશો તો પરમાત્મા પ્રત્યે પ્રેમ વધી જશે. પરમાત્માની અનંત શક્તિનું ચિંતન કરવાથી પરમાત્મા પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ જાગૃત થશે. આ રીતે જેઓ પરમાત્માના અનન્ય પ્રેમી તેમજ ભક્તો થઈ ગયા છે, તેમની પ્રેમભક્તિની વાતો સાંભળતા રહેવાથી ભક્તિનો ભાવ વૃદ્ધિ પામે છે ઃ મહારાજા કુમારપાળની પ્રીતિ-ભક્તિનું વૃત્તાંત જાણો અને તેમના પ્રત્યે નતમસ્તક બનો. મહામંત્રી પેથડશાહની ૫રમાત્મભક્તિ જાણો તો તમારું મસ્તક નમ્યા વગર નહીં રહે. સતી દમયંતીએ સાત વર્ષ સુધી ગુફામાં રહીને જે અદ્ભુત પરમાત્મભક્તિ કરી હતી તે જાણશો તો તમે પણ પરમાત્મભક્તિના રસમાં નિમગ્ન થઈ જશો. રાવણની પ૨માત્મભક્તિ જાણીને તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. તન-મનને શુદ્ધ કરીને એકાગ્રતાથી પરમાત્મભક્તિ કરવી જોઈએ. બીજું દિનકૃત્ય : ગુરુસેવા ઃ બીજું દૈનિક કર્તવ્ય છે ગુરુની સેવાનું. ગુરુની સેવા ત્યારે જ શક્ય બને છે કે ગુરુ તમારા ગામ યા નગરમાં બિરાજતા હોય. સભામાંથી ઃ ગુરુ મહારાજશ્રી ઃ સંસ્કૃત ભાષામાં ‘ગુ‘ નો અર્થ અંધકાર થાય છે. અને ‘રુ’નો અર્થ : કોને માનવા ? Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy