SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પર્વ-પ્રવચનમાળા નિરોધક થાય છે. જે અજ્ઞાનના અંધકારને દૂર કરે, મિટાવે, તે ગુરુ કહેવાય છે. આ તો મેં ‘ગુરુ’ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ બતાવ્યો. ‘ગુરુ’નું સ્વરૂપ દર્શન કરાવતાં કવિએ કહ્યું છે ઃ धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मप्रवर्तकः । सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ - देशको गुरुरुच्यते ॥ જેઓ ધર્મને જાણે છે, જેઓ ધર્મનું પાલન કરે છે, જેઓ સદૈવ ધર્મનો પ્રચાર કરે છે અને માણસોને જેઓ ધર્મશાસ્ત્રનો ઉપદેશ આપે છે, તેઓ ‘ગુરુ’ કહેવાય છે. પરમાત્માની ઓળખાણ કરાવનારા ગુરુઓ હોય છે. મોક્ષમાર્ગ બતાવનારા ગુરુઓ હોય છે. સાચા ધર્મની સમજણ અપનારા ગુરુજનો હોય છે. તેઓ જિનાજ્ઞા અનુસાર જીવન જીવવા માટે સદૈવ જાગૃત હોય છે. વિષય-કષાયની વૃત્તિઓ ઉ૫૨ સંયમ રાખનારા હોય છે. જો કે તેઓ સર્વજ્ઞ-વીતરાગ નથી હોતા, પૂર્ણ અપ્રમત્તભાવ પણ નથી હોતો, પ્રમાદનું પ્રમાણ કંઈક વધારે જ હોય છે. એથી પોતાના મહાવ્રતોને અતિચાર લગાડે છે; પરંતુ પ્રાયશ્ચિત લઈને શુદ્ધ બની શકે છે. સાધુપુરુષોના દોષ તો જોવા જ નહીં. કદાચ દોષ જોવાઈ જાય તો પણ અવર્ણવાદ-નિંદા તો કરવાની જ નથી. નિંદા સાધુની તો શું, કોઈ પણ જીવની ન ક૨વી જોઈએ. દોષોની નિંદા કરવાથી તમારામાં એ દોષો આવી જશે. ‘નીચગોત્રકર્મ' વગેરે અનેક પાપકર્મોનો બંધ કરશો, વળી નિંદા કરવાથી કોઈ પણ વ્યક્તિ સુધરતી તો છે જ નહીં ! તો પછી નિંદા કરવી શા માટે ? તમને કોઈ સાધુનું વર્તન પસંદ ન આવતું હોય તો એવા સાધુઓથી દૂર રહો, પરંતુ નિંદા તો કદી ન કરો. જ્ઞાની, સંયમી એવા ગુરુદેવોની તો સેવા કરતાની છે. દર્શન-વંદન કરવાનાં છે. વિનય કરવાનો હોય છે. વૈયાવચ્ચ કરવાની હોય છે. એમનો સંગ કરવાનો અને મોક્ષમાર્ગ પામવાનો છે. તેમના ગુણોની પ્રશંસા કરતા રહો. વસ્ત્રથી, પાત્રથી, ભિક્ષાથી તેમની ભક્તિ કરતા રહો. હાર્દિક પ્રેમથી ભક્તિ કરવી જોઈએ. ગુજરાતમાં જ્યારે રાણા વીરધવલ રાજ કરતાં હતા; ત્યારે તેમના મહામંત્રી વસ્તુપાલ, અને સેનાપતિ તેજપાલ હતા. વસ્તુપાલ-તેજપાલ બંને ભાઈઓ હતા. વસ્તુપાલની પત્નીનું નામ હતું લલિતાદેવી, અને તેજપાલની પત્નીનું નામ હતું અનુપમાદેવી. હું આજે અનુપમાદેવીની વાત કરીશ. એક દિવસ એક સાધુ-મુનિરાજ ગોચરી લેવા માટે વસ્તુપાલ-તેજપાલની હવેલીમાં ગયા. અનુપમાદેવીએ નતમસ્તકે પધારો ગુરુદેવ !’ કહીને સ્વાગત કર્યું. અને ઉમંગપૂર્વક ભિક્ષા આપી. પાત્રમાં ઘી નાખતી વખતે કંઈક સાવધાની ન રહી, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy