SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ-પ્રવચનમાળા | શારીરિક આરોગ્ય પ્રાપ્ત થાય છે. in રૂપ-લાવણ્ય-સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બીજા એક જ્ઞાની પુરુષે લખ્યું છેઃ जो पूएइ तिसंज्झं जिणिंदरायं सयावि गयदोसं । सो तइयभवे सिज्झइ अहवा सत्तट्ठमे जम्मे ॥ જે મનુષ્ય ત્રિકાળ એટલે કે સવારે, બપોરે અને સાંજે પરમાત્મા જિનેશ્વરદેવની દરરોજ પૂજા કરે છે, તે ત્રીજા ભવમાં મોક્ષદશા પામે છે. અથવા સાત, આઠ ભાવમાં તો અવશ્ય મોક્ષ પામે છે.” કર્મબંધનો મૂળ હેતુ મનના ભાવ: ભલે આલંબન જડ હોય યા ચેતન, એને જોઈને તમારા મનમાં શુભ ભાવ પેદા થતા હોય તો તમે શુભ કર્મ બાંધશો. જો અશુભ ભાવ પેદા થતા હશે તો તમે અશુભ કર્મ બાંધશો. એક સુંદર સ્ત્રીને જોઈને રાગના, મોહના વિચારો આવતા હોય તો જેવી રીતે તમે પાપકર્મ બાંધો છો, તેવી રીતે સુંદર સ્ત્રીની મૂર્તિ જોઈને રાગ ય મોહના વિચારો આવતા હોય તો પણ પાપકર્મ જ બંધાય છે. એ રીતે જીવંત તીર્થંકરનાં દર્શનથી પ્રશસ્ત પ્રેમ થતો હોય અને જેવાં પુણ્યકર્મ બંધાય છે, તેવી રીતે તીર્થંકરની મૂર્તિનાં દર્શનથી પ્રશસ્ત ભાવ પેદા થતો હોય તો પણ પુણ્યકર્મ જ બંધાય છે. કોઈવાર બાહ્ય ક્રિયા પાપની હોય પરંતુ Æયના ભાવ શુભ હોય, પવિત્ર હોય, નિર્મળ હોય તો મનુષ્યને અવધિજ્ઞાન યા કેવળજ્ઞાન થઈ જાય છે. આવાં અનેક ઉદાહરણો શાસ્ત્રમાં વાંચવા મળે છે. * ભરત ચક્રવર્તી અરીસાભવનમાં પોતાનું રૂપ જોઈ રહ્યા હતા. આ ક્રિયા પાપની ક્રિયા હતી. પરંતુ દ્ધયમાં ભાવ શુભ અને શુદ્ધ પેદા થયા, તો તેમને ત્યાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. * શ્રેષ્ઠીપુત્ર ગુણસાગર આઠ કન્યાઓ સાથે લગ્ન કરી રહ્યો હતો. હસ્તમેળાપની ક્રિયા ચાલી રહી હતી, એ પણ પાપક્રિયા હતી, પરંતુ તેના મનમાં શુદ્ધ ભાવોનો પ્રવાહ વહેવા લાગ્યો. તો તેને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું! જે રીતે પરમાત્માની પૂજામાં, જલપૂજા, પુષ્પપૂજા વગેરેમાં “સ્વરૂપ હિંસાની ક્રિયા જોવા મળે છે, પરંતુ પૂજકના મનમાં પરમાત્મપ્રેમના, પરમાત્મભક્તિના શુભ ભાવ પેદા થતા હોવાથી શુભ કર્મોનો જ બંધ થાય છે. પાણી અને પુષ્પની વિરાધનાથી પાપકર્મનું બંધન થતું નથી. કર્મબંધમાં મુખ્ય હેતુ જીવાત્માના મનમાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy