SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) શકીએ. ધર્મના માધ્યમથી જીવન ઉત્તમ બને છે, પાપોથી જીવન હીન બને છે. તમારું જીવન ગૃહસ્થનું છે. ગૃહસ્થજીવન અનેક વિષમતાઓથી ભરેલું હોય છે. જ્યારે બહારની વિષમતાઓ દય અને ચિત્ત ઉપર છવાઈ જાય છે ત્યારે અશાંતિ, બેચેની અને વિષાદથી જીવન ભરાઈ જાય છે. જીવન જીવવા જેવું ય નથી લાગતું. માણસ અકળાઈ જાય છે. ન કરવા જેવા વિચારો કરવા લાગે છે, ન વિચારવાનું વિચારે છે, ન કરવા જેવાં કામ કરે છે. પરિણામસ્વરૂપ જીવન ઝેર જેવું બની જાય છે. આ રીતે જીવનની બરબાદી ન ઇચ્છતા હો તો સર્વદા પરમાત્માનું પૂજન કરતા રહો. પહેલું દૈનિકકૃત્યઃ પરમાત્મપૂજનઃ પરમાત્મા જિનેશ્વરદેવની પ્રતિદિન, વિધિપૂર્વક પૂજા કરવાથી તમે મનની પ્રસન્નતા પામશો. સદેવ તમારું મન પ્રસન્ન રહેશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ચિત્ત પ્રસન્ન રહેશેઃ શરત એક છે - પરમાત્મા પ્રત્યે તમારા દયમાં પ્રેમ હોવો જોઈએ. પ્રેમથી પરમાત્માનું દર્શન કરવાનું છે. પ્રેમથી પરમાત્માનું સ્મરણ કરવાનું છે અને પ્રેમથી પરમાત્માનું સ્તવન કરવાનું છે. પ્રેમ અખંડ રહેવો જોઈએ. અખંડ પરમાત્મપ્રેમ મનને અશાંત થવા દેતો નથી. પ્રેમથી પ્રસન્નતા જ રહે છે. જ્યાં પ્રેમ ત્યાં પ્રસન્નતા. મહાયોગી આનંદધનજીએ કહ્યું છેઃ ચિત્ત પ્રસરે પૂજન-ફળ કહ્યું, પૂજા અખંડિત એહ પરમાત્માની પૂજાનું ફળ છે ચિત્તની પ્રસન્નતા. જે પૂજનથી ચિત્ત પ્રસન્ન રહેતું હોય, પ્રશાન્ત રહેતું હોય, તો સમજવું કે તમારી પૂજા અખંડિત છે, શુદ્ધ છે. ! પરમાત્મપૂજાના ઈહલોક અને પરલોકનાં ફળોનું વર્ણન કરતાં એક મહર્ષિએ કહ્યું છેઃ जिनेन्द्रपूजा सुगति तनोति, ददाति राज्यं च सुरेन्द्रलक्ष्मीम् । छिनत्ति दुःखानि च देहभाजां, नीरोगतां राति सुरुपतां च ॥ જિનેશ્વર પરમાત્માની પૂજા કરવાથી જે ભાવશુદ્ધિ થાય છે, શુભભાવોની વૃદ્ધિ થાય છે, એનાથી vi દેવગતિ યા મનુષ્યગતિનું આયુષ્યકર્મ બંધાય છે. - રાજ્યપ્રાપ્તિ થાય છે, એટલે કે ઉચ્ચ સત્તા પ્રાપ્ત થાય છે. i દેવરાજ ઇન્દ્રનું પદ મળે છે. દુઃખ દૂર થાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy