SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આષાઢ-ચાતુર્માસિક પ્રવચન ૧૭ જે રીતે સાધુ-સાધ્વીને ચાતુર્માસમાં એક ગામમાં જ સ્થિરતા ક૨વાની હોય છે, વિહાર કરવાનો હોતો નથી. એ રીતે જ તમારે લોકોને પણ નગરથી બહાર જવાનું હોતું નથી. પ્રવાસ કરવાનો નથી. નિવૃત્તિમય ધર્મઆરાધના કરવાની હોય છે. મુખ્યરૂપે નવ પ્રકારની ધર્મઆરાધના બતાવવામાં આવી છે. સામાયિાવશ્ય-પૌષધાનિ, વેવાઈન-સ્નાત્ર-વિક્ષેપનાનિ 1 ब्रह्मक्रिया-दान- तपोमुखानि भव्याश्चतुर्मासिकमण्डनानि ॥ ૧. સામાયિક, ૨. પ્રતિક્રમણ, ૩. પૌષધ, ૪. પરમાત્મપૂજન, પ. સ્નાત્રપૂજા, ૬. પરમાત્મવિલેપન, ૭. બ્રહ્મચર્યપાલન, ૮. દાન અને ૯. તપશ્ચર્યા - આ નવ પ્રકારની આરાધના ચાતુર્માસનો શણગાર છે. તેમાં તીર્થયાત્રાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ચાતુમસ-કાળમાં જ્યારે પ્રવાસનો જ નિષેધ કર્યો હોય ત્યારે તીર્થયાત્રા કેવી રીતે થાય ? એટલા માટે કહું છું કે આ ચાતુર્માસમાં, પર્યુષણની પહેલાં અથવા પછી તીર્થયાત્રાનું આયોજન ન કરવું. તમારા વ્યવહારિક કાર્યોમાં પણ પ્રવાસ કરવાનો નથી. સભામાંથી : પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈ વગેરે તપશ્ચર્યા કરીએ છીએ ત્યારે સ્નેહીસ્વજનોને નિમંત્રણ-પત્ર મોકલીએ છીએ અને સંબંધને કારણે ચાલુ પર્યુષણ પર્વમાં પ્રવાસ કરીને તેમને આવવું પડે છે. કેટલાક લોકો તો એને કારણે સંવત્સરીપ્રતિક્રમણ પણ કરી શકતા નથી. તો આ પ્રથા શું શાસ્ત્રીય છે ? ઉચિત છે ? મહારાજશ્રી : સર્વથા ખોટી પદ્ધતિ છે. પર્યુષણ જેવા મહાન્ પર્વના દિવસોમાં પ્રવાસ કરવો એ મહાપર્વની વિરાધના છે. બીજી વાત તપશ્ચર્યાની સાથે એવી પ્રથા જોડવી એ પણ ખોટું છે. તમે લોકોએ તપશ્ચર્યાને મોંઘી બનાવી દીધી છે. તપશ્ચર્યાથી મારે મારા ઉપર લાગેલાં કર્મોની નિર્જરા કરવાની છે, આત્મભાવ નિર્મળ કરવો છે, આહારસંશા પર વિજય મેળવવો છે.' આ વાત યાદ રહે છે ખરી ? તપશ્ચર્યા નિમિત્તે પણ ચાતુર્માસમાં પ્રવાસ કરવો એ ઉચિત નથી. એટલા માટે તપશ્ચર્યા નિમિત્તે ન કોઈને બોલાવવા જોઈએ, કે ન તો તમારે પ્રવાસ કરીને જવું જોઈએ. માત્ર અનુમોદના માટે સમાચાર મોકલી શકો છો. જિનાજ્ઞાથી વિપરીત પ્રથાઓને દૂર કરવી જોઈએ. ‘ચાતુમસમાં પ્રવાસ ન ક૨વો.' એ જિનાજ્ઞા છે. આ આજ્ઞાનું પાલન કરવાના હેતુથી મહારાજા કુમારપાળે પાટણ બહાર નહીં જવાની પ્રતિજ્ઞા કરી હતી. સભામાંથી અઠ્ઠાઈ વગેરે મોટી તપશ્ચર્યા કરનારાઓને ૮/૧૦ હજાર રૂપિયાનો ખર્ચ તો કરવો જ પડે છે. પૂજા ભણાવવી, વરઘોડો કાઢવો, પ્રભાવના આપવી, સ્નેહી-સ્વજનોને પ્રીતિભોજન આપવું...વગેરે કરવું; શું એ જિનાજ્ઞા છે ? મહારાજશ્રી : શ્રીમંત-ધનવાનોએ આ બધું કરવું જ જોઈએ. કરવું જ જોઈએ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy