SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પર્વ-પ્રવચનમાળા એક કણમાં અનંત અનંત જીવ હોય છે. એટલા માટે ચાલતાં-ફરતાં નિગોદ ઉપર પગ મૂકવો ન જોઈએ. વનસ્પતિ (હરિયાળી-લોન) ઉપર પણ ન ચાલવું જોઈએ. ઘરમાં, દુકાનમાં કોઈકોઈ વાર થાંભલાઓ ઉપર, પલંગ ઉપર, અલમારી ઉપર, જ્યાં ચીકણા હાથ લાગે છે ત્યાં નિગોદ થઈ જાય છે. ઘી-તેલના વાસણ ઉપર પણ કોઈ વાર નિગોદ થઈ જાય છે. એટલા માટે ત્યાં ચૂર્ણ, રાખ વગેરે લગાડીને વસ્તુઓ ઠંડા સ્થાનમાં રાખવી જોઈએ. પાપડ ઉપર પણ કોઈક વાર સફેદ નિગોદ થઈ જાય છે, એટલા માટે ચાતુર્માસમાં પાપડનો ઉપયોગ ન કરવો જોઈએ. ચાતુર્માસમાં જમીનને ખોદવી ન જોઈએ. વસ્ત્રો રંગવા ન જોઈએ. વસ્ત્રો વધારે ધોવા પણ ન જોઈએ કૂટવામાં, દળવામાં, રસોઈ બનાવવામાં, વાસણો ધોવામાં પૂરું ધ્યાન રાખવું જોઈએ. સૂક્ષ્મ જીવોની રક્ષાનો ભાવ હોવો જોઈએ. મંદિર અને ઉપાશ્રયમાં યતનાધર્મનું પાલન કરવું જોઈએ. એટલે ધર્મસ્થાનોમાં જીવોત્પત્તિ ન થાય, એનો ખ્યાલ રાખવો જોઈએ. જીવોત્પત્તિ થઈ જતાં એ જીવો પ્રમાદથી મરી ન જાય એનો ઉપયોગ રાખવો જોઈએ. વશિષ્ઠ મુનિએ “ભવિષ્યોત્તર પુરાણ' માં ચાતુમસિમાં શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ તેનું સુંદર માર્ગદર્શન આપ્યું છે. - પ્રવાસં નૈવ સુર્વત - પ્રવાસ ન કરવો. – મૃત્તિકા નૈવે વીનવે - જમીન ખોદવી નહીં. - પાને ચાતુર્માસી વિષેવન્ત - એક વાર ભોજન કરવું. - નક્તિ મનસ્ - રાત્રિભોજન ન કરવું. - મધમાંસાનિ વર્નચે માંસ-મદિરાનો ત્યાગ કરવો. – તૈયાખ્યાં ન રોતિ - તેલ માલિશ ન કરવાં. - પુષ્પાલિકાતંત્યા - પુષ્પાદિનો ઉપયોગ ન કરવો. – સ્મૃતિરૂમાથુ–ષા–ક્ષારસાનૂ વર્જયેત્ | - ષડરસોનો ત્યાગ કરવો. - અન્તરોપવાલી - એકાન્તરે ઉપવાસ કરવો. - સર્વદા મૌનમોનનમ્ - સદાય મૌનપૂર્વક ભોજન કરવું. પહેલી વાત કહી છે. પ્રવાસ ન કરવાની. જ્યારે કેટલાંક વર્ષોથી આપણા સંઘોમાં પ્રવાસ-ચાતુમસના કાળમાં જ વધારે પ્રમાણમાં આયોજિત થાય છે! જ્યાં પર્યુષણ પર્વ પૂરું થયું કે પ્રવાસ-આયોજન શરૂ થઈ જાય છે. જેમ કે તમે લોકો પર્યુષણ સુધી જ ચાતુર્માસ-કાળ સમજો છો ! Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy