SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પર્વ-પ્રવચનમાળા એવી જિનાજ્ઞા નથી. કરવાથી જિનાજ્ઞાની પ્રશંસા જરૂર થાય છે. પરંતુ હું તપશ્ચર્યા કરીશ, અથવા મારા ઘરમાંથી કોઈ મોટી તપશ્ચર્યા કરશે તો મારે પ-૭ હજાર રૂપિયા ખર્ચવા પડશે, એટલા માટે હું મોટી તપશ્ચર્યા નહીં કરે, ન તો ઘરમાંથી કોઈને કરવા દઈશ.” આવો વિચાર કરવો એ ખોટું છે. તપશ્ચયની સાથે રૂપિયાનો સંબંધ જોડવા જ ન જોઈએ. ભાવના હોય અને શક્તિ હોય તો જ ખર્ચ કરવાનું હોય છે. શ્રીમંતોનું અનુકરણ મધ્યમવર્ગના યા ગરીબવર્ગના લોકોએ કરવાનું નથી. પાટણમાં મહારાજા કુમારપાળ પૌષધ કરવા જતા હતા તો સાથે ૧૮૦૦ શ્રેષ્ઠીઓ રહેતા હતા. રાજા ચંદ્રાવતંસક પણ સેંકડો શ્રાવકોની સાથે સામાયિક કરવા જતા હતા, શું તમે ૫૦-૧૦૦ શ્રાવકોને પણ સાથે લઈ દરરોજ સામાયિક કરવા ઉપાશ્રય જશો? તો શું તમે સામાયિક છોડી દેશો? શ્રીમંત શ્રાવકો જિનશાસનની શાન વધારવા માટે ખર્ચ કરે તો ઉચિત છે. પરંતુ જેઓ શ્રીમંત નથી, તેમણે એમની દેખાદેખીથી, ઉધાર લઈને ખર્ચ કરવાનો નથી. હું જાણું છું કે ઘણાખરા માણસો એટલા માટે મોટી તપશ્ચય ભાવના હોવા છતાં કરતાં નથી કારણ કે તેમને રૂપિયા ખરચવા પડે છે. ખર્ચ નથી કરતા તો સમાજમાં લોકો નિંદા કરે છે. તેમના પ્રત્યે હલકી નજરે જુએ છે. આ તમામ બાબતો અનુચિત છે. આ તમામ બાબતો તપશ્ચર્યામાં અંતરાય કરનારી છે. તમારી આર્થિક સ્થિતિ અનુસાર જ ખર્ચ કરવો જોઈએ. તમારામાં એટલી તો નૈતિક હિંમત હોવી જોઈએ. અમે તપશ્ચયનિા અનુલક્ષ્યમાં વરઘોડો નહીં કાઢીએ. પ્રભાવના નહીં આપીએ. પ્રીતિભોજન નહીં આપીએ તો લોકો શું કહેશે?” આ ભય તમારા મનમાં ન હોવો જોઈએ. નિર્ભય, નિશ્ચિંત થઈને આત્મશુદ્ધિના ઉપલક્ષ્યમાં તપશ્ચર્યા કરો. હવે ચાતુર્માસ કાળની નવ પ્રકારની આરાધના અંગે સંક્ષેપમાં કેટલુંક માર્ગદર્શન આપીને પ્રવચન પૂર્ણ કરીશ. રામાયિક સામાયિક કરવાનું છે, સમતાભાવમાં સ્થિર રહેવા માટે. રાગદ્વેષથી ૪૮ મિનિટ મુક્ત રહેવાનું છે. સામાયિક કરનારાઓએ ૩ર દોષોથી બચવાનું છે. મનના ૧૦, વચનના ૧૦ અને કાયાના ૧૨ દોષોને જાણીને એ દોષોથી બચીને સામાયિક કરવાનું છે. ઉપાશ્રયમાં, ઘરમાં યા સાધુ-મુનિરાજની પાસે જઈને સામાયિક કરી શકો છો. ઘરમાં એકાન્ત જગાએ સામાયિક કરવું જોઈએ. પ્રતિક્રમણ : આત્માને પાપોથી બચાવવાની ભાવનાથી સવાર-સાંજ બંને સમય પ્રતિક્રમણ કરવું જોઈએ. ઉચિત સમયે અને વિધિપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા કરવાની હોય છે. સાધુપુરુષનો સંયોગ હોય તો તેમની પાસે કરવી જોઈએ, અન્યથા સ્વયં કરવી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy