SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ પર્વ-પ્રવચનમાળા ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પદ્માવતી દેવી સાથે નીચે આવ્યા-ઉપસર્ગો દૂર કર્યા. મેઘમાલી દેવને ધમકાવ્યો.... સમજાવ્યો. બસ, એ સમયે મેઘમાલીને પોતાની ભૂલનું ભાન થયું. પાપોનો પશ્ચાત્તાપ થયો... અને તેણે સમ્યગ્ દર્શનનો ગુણ પ્રાપ્ત કર્યો. તેણે ભગવાનની સ્તવના કરી, ક્ષમાયાચના કરી અને દેવલોકમાં ચાલ્યો ગયો. ધરણેન્દ્ર પણ પદ્માવતી સાથે દેવલોકમાં ચાલ્યા ગયા. નિકાચિત કર્મો ભોગવવાં પડે છે ઃ વેરની પરંપરાનો અંત આવી ગયો. દશ દશ ભવોથી કમઠની અંદર પડેલી વેરની ભયાનક ગાંઠ છૂટી ગઈ, પીગળી ગઈ ! કારણ કે મરુભૂતિના આત્મામાં પડેલું પાપકર્મ નષ્ટ થઈ ગયું હતું કે જે પાપના ઉદયથી તેને કમઠના નિમિત્તે વારંવાર મરવું પડ્યું હતું. કમઠે તેને માર્યો હતો. કેટલાંક પાપકર્મો અને કેટલાંક પુણ્યકર્મો એવાં હોય છે કે જે ભોગવવાં જ પડે છે. ગમે તેટલાં તપ-ત્યાગ કરો, ગમે તેટલું ઉત્કૃષ્ટ સંયમપાલન કરો, એ પાપકર્મો નષ્ટ થતાં નથી. ભોગવવાં જ પડે છે. એ રીતે ગમે તેટલો વૈરાગ્ય હો, અનાસક્તિ હોય... તો પણ કેટલાંક પુણ્યકર્મો ભોગવવાં જ પડે છે. એટલા માટે તો ઉચ્ચ કોટિના મોટા મોટા મુનિ-મહર્ષિઓને દેવલોકમાં જવું પડે છે; અને ત્યાં અસંખ્ય વર્ષો સુધી વૈયિક સુખો ભોગવવાં પડે છે. એ જ રીતે મનુષ્યલોકમાં પણ વૈયિક સુખો ભોગવવાં પડે છે. દુઃખ ભોગવો યા સુખ ભોગવો, મનમાં સમતા રાખવાની છે. સમતા જ શાન્તિ, સ્વસ્થતા અને પ્રસન્નતાનો સાચો ઉપાય છે. ભગવાન પાર્શ્વનાથના દશ ભવોમાં આ જ પરમ રહસ્યભૂત તત્ત્વ સમજવા મળે છે, બીજી અભિનવ દિવ્યદૃષ્ટિ મળે છે. દુઃખ આપનારાઓ પ્રત્યે વિચારવાની. ભગવાનના આત્માએ કદી પણ કમઠ પ્રત્યે રોષયુક્ત યા વેરયુક્ત વિચાર કર્યો ન હતો. કદીય તેના અહિતનો વિચાર નથી કર્યો. "મને કમઠ દુઃખ આપતો નથી. મારાં કર્મો જ મને દુઃખ આપી રહ્યાં છે. મારાં બાંધેલાં કર્મ જ મને દુઃખ આપે છે.” તીર્થસ્થાપના : હવે આપણે ભગવંતના કેવળજ્ઞાન-કલ્યાણકના થોડાક ગુણ ગાઈ લઈએ. ભગવાન વિહાર કરતાં કાશીનગરના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા. ધાતકી વૃક્ષની નીચે ધ્યાનસ્થ બનીને ઊભા રહ્યા. દીક્ષાજીવનના ૮૪ દિવસ વીતી ગયા. ભગવાન ત્રણ દિવસના ઉપવાસી છે. ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશ થઈ ગયો ! ચાર ઘાતી કર્મોનો નાશ થઈ ગયો ! લોકાલોક પ્રકાશી કેવળજ્ઞાન પ્રકટ થઈ ગયું. તે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy