SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ પોષ દશમી -પ્રવચન (3) દિવસ હતો ચૈત્રી વદી ચોથનો. એ સમયે દેવલોકના ૬૪ ઈન્દ્રો કાશીમાં ઊતરી આવ્યા. સમવસરણની રચના કરી. ભગવાન સમવસરણમાં સિંહાસન ઉપર આરૂઢ થયા. આકાશમાં દેવદુંદુભિ વાગવા લાગી. પુષ્પવૃષ્ટિ થવા લાગી. દિવ્ય સંગીતના સૂર વહેવા લાગ્યા. વનપાલે જઈને રાજા અશ્વસેનને શુભ સમાચાર આપ્યા. રાજમહેલમાં આનંદ થઈ ગયો. નગરમાં ઘોષણા થઈ ગઈ. હજારો સ્ત્રીપુરુષોની સાથે રાજા-રાણી અને પ્રભાવતી સમવસરણમાં આવ્યો. ભગવાનની અચિંત્ય શોભા... વૈભવ..... અને દેવેન્દ્રોને જોઈને રાજા-રાણી અને પ્રભાવતી હર્ષવિભોર થઈ ગયાં. તેમના દય કમળની કળી-કળી ખીલી ઊઠી. પાર્શ્વનાથનો પરિવારઃ ભગવાને ધદિશના આપી. ધદિશના સાંભળીને રાજા-રાણી અને પ્રભાવતી વૈરાગી બન્યાં. તેમણે પણ પ્રભુને હાથે ચારિત્રધર્મ સ્વીકાર્યો. ભગવાનના ૧૦ ગણધર બન્યા. ધર્મતીર્થની સ્થાપના થઈ. ભગવાનના ૧૬ હજાર સાધુઓ હતા, ૩૮ હજાર સાધ્વીઓ હતી. એક લાખ ચોસઠ હજાર શ્રાવકો હતા અને ત્રણ લાખ એકવીસ હજાર શ્રાવિકાઓ હતી. તમામ શ્રાવક-શ્રાવિકાઓ વ્રતધારી હતાં. બીજા લોકો હતા તેઓ પાર્શ્વનાથ પ્રત્યે પ્રેમ-શ્રદ્ધા રાખનારા હતા. નિવણિઃ ભગવાન કેટલાંક વર્ષો સુધી પૃથ્વી ઉપર વિચરતા રહ્યા. લોકોને સુખશાન્તિનો માર્ગ બતાવતા રહ્યા. જ્યારે નિવણનો સમય નજીક આવ્યો ત્યારે ભગવાન સમેત શિખરના પર્વત ઉપર પહોંચ્યા. ત્યાં તેમણે એક માસનું અનશન કર્યું. સાથે ૩૩ મુનિવરોએ પણ અનશન કર્યા. બધા જ કાયોત્સર્ગ મુદ્રામાં હતા. એ સમયે નિવણિ થયું. એ દિવસ હતો શ્રાવણ સુદી આઠમનો. દેવ-દેવેન્દ્રોએ ત્યાં જઈને ભગવાનનો નિવણ મહોત્સવ મનાવ્યો. ભગવાન સિદ્ધબુદ્ધ મુક્ત બની ગયા. સંસારયાત્રા પૂર્ણ થઈ ગઈ. ભગવાન વિદેહ બની ગયા, પરંતુ દુનિયા એમને આજ દિન સુધી ભૂલી નથી અને અસંખ્ય વર્ષો સુધી ભૂલશે પણ નહીં. લોકોએ પાર્શ્વનાથની પ્રતિમાઓ બનાવી. કોઈએ રત્નોની, કોઈએ સોના-ચાંદીની તો કોઈકે પાષાણની કે માટીની! મૂર્તિની ઉપાસના કરવા લાગ્યા લોકો. પાર્શ્વનાથજીની મૂર્તિની સાથે નાગરાજની ફણા પણ મસ્તક ઉપર બનાવવામાં આવી. ત્રણ દિવસ સુધી ધરણેન્દ્ર નાગરાજના રૂપમાં ભગવાનના માથે ફણાનું છત્ર ધર્યું હતું ને? પાર્શ્વનાથનાં અનેક નામ: ભગવાન પાર્શ્વનાથની કેટલીક મૂર્તિઓ ધરણેન્દ્રપદ્માવતી સાથેની મળે છે અને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy