SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ પર્વ-પ્રવચનમાળા પાર્શ્વકુમારની દીક્ષા: ત્યાં નવ લોકાન્તિક દેવો આવે છે અને પાર્શ્વકુમારને વિનંતી કરે છે. મથવું તિર્થં પત્તેદિ ! હે ભગવંત! હવે ધર્મતીર્થની પ્રવર્તન કરો. દેવોના ગયા પછી પાર્શ્વકુમારે પ્રભાવતીને કહ્યું : “દેવી, હવે એક વર્ષ પછી ગૃહત્યાગ કરીશ ! એક વર્ષ દરરોજ લોકોને દાન આપીશ! સવારથી સાંજ સુધી દાન આપતો રહીશ. તું પણ સહયોગી બને !' પ્રભાવતી ખૂબ રડે છે. પાર્શ્વકુમાર એને સમજાવે છે. જ્યારે તે રાજમહેલમાં આવે છે ત્યારે પ્રભાવતીએ સમગ્ર વાત રાજા-રાણીને બતાવી દીધી. રાજા-રાણી પણ વિષાદમગ્ન થઈ જાય છે. કુમાર એમને પણ સમજાવે છે અને દાન આપવાની શરૂઆત કરી દે છે. દેવરાજ ઈન્દ્રની આજ્ઞાથી ધનકુબેર દેવ અશ્વસેન રાજાનો ભંડાર ધન-સંપત્તિથી ભરી દે છે. પાર્શ્વકુમાર લોકોને આપતા રહે છે!! લાખો લોકોનું દારિદ્ય દૂર થઈ જાય છે. એક વર્ષ વીતતાં કેટલી વાર લાગે છે? વર્ષ પૂરું થઈ ગયું. પોષ વદી એકાદશીના દિવસે-આજના દિવસે પાર્શ્વકુમારે ગૃહવાસનો ત્યાગ કર્યો. દીક્ષા-કલ્યાણકનો ભવ્ય મહોત્સવ થાય છે... એમાં દેવ-દેવીઓ પણ હાજર થાય છે. શોભાયાત્રા કાશીનગરની બહાર “આશ્રમપદ નામના બાગમાં આવે છે. ભગવાન શિબિકામાંથી નીચે ઊતરે છે. અશોકવૃક્ષની નીચે આવે છે. શરીર ઉપરથી આભૂષણો ઉતારી નાખે છે. બધાં વસ્ત્રો ઉતારી નાખે છે. પંચમુઠી લોચ કરે છે અને અનંત સિદ્ધોની સાક્ષીમાં તેઓ ચાર મહાવ્રતો ઉચ્ચારે છે. આ સમયે ભગવાનને ચોથું જ્ઞાન-મન:પર્યવજ્ઞાન પ્રકટ થાય છે. ઇન્દ્ર ભગવાનના સ્કંધ ઉપર મૂલ્યવાન દેવદૂષ્ય રાખે છે અને ત્યાં જ ભગવાન કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહી જાય છે. રાજા-રાણી વગેરે પોતપોતાના સ્થાને ચાલ્યાં જાય છે. દેવ નંદીશ્વર દ્વીપ ઉપર ચાલ્યા જાય છે. જિનચૈત્યોની યાત્રા કરવા જાય છે. ભગવાને અઠ્ઠમ ત્રણ ઉપવાસ)નો તપ કર્યો હતો. કાશીમાં ધન્ય સાર્થવાહને ઘેર પારણાં કર્યો. ધન્ય સાર્થવાહ ધન્ય બની ગયો ! કૃતાર્થ બની ગયો! તેનો આત્મા ભવસાગર તરી ગયો. કલિકુંડ તીર્થ બન્યું? પછી ભગવાને ત્યાંથી વિહાર કર્યો. વિહાર કરતાં કરતાં તેઓ 'કાદંબરી” નામના સુંદર વનમાં પધાર્યા. ત્યાં "કુંડ” નામનું વિશાળ સરોવર હતું. સરોવરમાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy