SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પોષ દશમી -પ્રવચન (3) ૨૪૧ સ્વપ્રશંસા ને પરમિન્દી ઉચ્ચતમ આધ્યાત્મિક વિકાસ થયા વગર આત્મા સ્વપ્રશંસા અને પરનિંદાને સાંભળીને મધ્યસ્થ રહી ન શકે. ભલે બહારથી તપ, ત્યાગ કરતો રહે, શાસ્ત્ર વાંચતો રહે અને ધર્મક્રિયા કરતો રહે. અધ્યાત્મયોગ અને સમતાયોગની પ્રાપ્તિ વગર મનુષ્ય મધ્યસ્થભાવમાં સ્થિર રહી શકતો નથી. સ્વપ્રશંસા અને પરનિંદા સાંભળીને ખુશી થયા સિવાય નથી રહેતી ! સંસારી લોકોની વાત તો છોડી દો, પરંતુ જેઓ ધર્મક્ષેત્રમાં ઉચ્ચપદ ઉપર આરૂઢ છે એવા મહાનુભાવો પણ સ્વપ્રશંસા સાંભળીને જૂઈના ફૂલની જેમ ઉફુલ્લ થઈ જાય છે ! ધર્મક્રિયાઓ કરવી યા શાસ્ત્રોના વિદ્વાન થવું એક વાત છે અને આધ્યાત્મિક વિકાસ કરવો એ બીજી વાત છે. આધ્યાત્મિક વિકાસની આ નિશાની છે - સ્વપ્રશંસા અને પરનિંદા સાંભળતાં ખુશ ન થવું, મધ્યસ્થ રહેવું. જો કે પાર્શ્વકુમાર તો તીર્થકર જ હતા, એમનામાં એવી ઉચ્ચતમ આધ્યાત્મિકતા હોવી સ્વાભાવિક હતું, પરંતુ એવી આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાનું આપણું પણ લક્ષ્ય હોવું જોઈએ. વૈરાગ્યપ્રેરક ચિત્રઃ હવે ચાલો, પાર્શ્વકુમારના વૈરાગ્યને તીવ્ર કરનાર એક નિમિત્ત કેવું મળ્યું તે બતાવું. વસંતઋતુ હતી. પ્રભાવતીની સાથે પાર્શ્વકુમાર નગરના બાહ્ય ઉદ્યાનમાં જાય છે. વિશાળ ઉદ્યાનમાં ફરતાં ફરતાં તેઓ એક સુંદર મહેલમાં જાય છે. મહેલ ઉધાનમાં જ આવેલો હતો. મહેલની ભીંતો ઉપર વિવિધ પ્રકારનાં સુંદર ચિત્રો દોરેલાં હતાં. બંને જણાં-યુવરાજ અને યુવરાજ્ઞી એ ચિત્રો જોતાં જાય છે. જોતાં જોતાં તેમણે એક ચિત્ર નેમનાથ અને રાજિમતીનું જોયું ! નેમિકુમાર રાજિમતી સાથે લગ્ન કરવા જાન સાથે રાજા ઉગ્રસેનના મહેલ તરફ જઈ રહ્યા છે. તેમણે ત્યાં એક વિશાળ વાડામાં પશુઓ જોયાં. તેમને ખબર પડી કે આ પશુઓને મારીને તેમનું માંસ પકાવીને માંસાહારી જાનૈયાઓને ખવડાવવામાં આવશે. તેઓ તો જીવમાત્ર પ્રત્યે પરમ કરુણા ધારણ કરનારા પરમ પુરુષ હતા. તેમણે તત્કાલ પોતાના રથને પાછો લીધો. લગ્ન ન કર્યો. જાન એમ જ પાછી ફરી. ન કોઈએ ખાધું, ન પીધું ! ચિત્રમાં આ ઘટના પાર્શ્વકુમારે નિહાળી, તેમનો વૈરાગ્ય તીવ્ર થઈ ગયો. તેમના મુખ ઉપર ગંભીરતા છવાઈ ગઈ, તેઓ ગંભીર વિચારમાં ડૂબી ગયા, પ્રભાવતી પણ કુમારનું આ ઓચિંતું પરિવર્તન જોઈને સૂનમૂન થઈ ગઈ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy