SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પોષ દશમી - પ્રવચન (૩) ૨૩૭ આવે છે તો માતાને ચૌદ સ્વખો આવે છે. આ સ્વપ્નો ઉદરમાં આવનારા ઉત્તમ આત્માનાં પરિચાયક છે. સ્વપ્નોનું પણ એક મોટું શાસ્ત્ર છે. કેટલાંક સ્વપ્નો નિરર્થક હોય છે. તો કેટલાંક ભવિષ્યનાં સૂચક હોય છે. કેટલાંક સ્વપ્નો નજીકના ભવિષ્યમાં ફળ આપનાર હોય છે તો કેટલાંક મોડું ફળ આપનાર હોય છે. કોઈવાર એવું પણ. બને છે કે દૂર કે નજીક કોઈ ઘટના બને છે તો આ બાજુ એ જ સમયે એ ઘટના માણસ સ્વપ્નમાં જુએ છે! દેશ અને વિદેશોમાં પણ આપણે આવાં સ્વપ્નોની વાતો સાંભળીએ છીએ, વાંચીએ છીએ. આત્માની સ્વતંત્ર સૈકાલિક જ્ઞાનશક્તિ વગર આ વાતો શક્ય બનતી નથી. માતા વામાદેવી: માતા વામાદેવીના મનમાં, જ્યારથી તે ગર્ભવતી બને છે ત્યારથી અનેક શુભ.. કલ્યાણકારી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે અને મહારાજા અશ્વસેન એ ઇચ્છાઓને પૂર્ણ કરતા રહે છે. ગર્ભવતી સ્ત્રીની ઈચ્છાઓ પૂર્ણ થવાથી તે પ્રફુલ્લિત રહે છે. એની સારી અસર ગર્ભસ્થ બાળક ઉપર પડે છે. ગર્ભસ્થ બાળકના સારા વિકાસ માટે માતા ખાવાપીવામાં, હાલવા-ચાલવામાં, વસ્ત્રપરિધાનમાં તેમજ બીજાં કાર્યકલાપોમાં સંયમનું પાલન વિશેષ રૂપે કરે છે. ગર્ભસ્થ બાળકના તન-મનનો સારો વિકાસ થાય એ માતાનું લક્ષ્ય હોય છે. તીર્થકરની માતાનું તો પૂછવું જ શું? પૂર્ણ સાવધાનીથી તે ગર્ભનું પાલન કરે છે. જીવના ઉત્તમ પુણ્યકર્મના ઉદયથી જ વાત્સલ્યમયી કરુણામયી અને જ્ઞાનમયી માતા મળે છે. જે પાપકર્મનો ઉદય થયો હોય તો નિર્દય, કૂર અને અજ્ઞાની માતા મળે છે. તેવી માતા ગર્ભસ્થ શિશુની હત્યા કરવામાં ય અચકાતી નથી. તીર્થકર તો શ્રેષ્ઠ પુણ્યકર્મના ધણી હોય છે. તેમના માતાપિતા, ભાઈ, ભગિની. બધાં સ્વજનો સ્નેહપૂર્ણ મળે છે. સર્વ વાતો શુભ...મંગળમય... કલ્યાણકારી મળે છે. પાર્શ્વકુમારનો જન્મઃ માતા વામાદેવીએ પોષ વદી દશમની મધ્યરાત્રિએ પુત્રને જન્મ આપ્યો. કોઈ કષ્ટ નહીં. કોઈ પીડા નહીં. કોઈ વેદના નહીં. સહજતાથી જન્મ આપ્યો. એ સમયે સમગ્ર જીવસૃષ્ટિને આનંદની અનુભૂતિ થઈ. નરકમાં રહેનારા જીવોને પણ ક્ષણિક સુખાનુભૂતિ થઈ. દેવેન્દ્રોએ નવજાત તીર્થકરને મેરગિરિ ઉપર લઈ જઈને અભિષેક મહોત્સવ મનાવ્યો. રાજા અશ્વસેને કાશી રાજ્યમાં મોટો મહોત્સવ મનાવ્યો. સર્વત્ર આનંદ આનંદ થઈ ગયો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy