SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પર્વ-પ્રવચનમાળા श्रीपार्श्वः पातु वो नित्यं, जिनः परमशंकरः ।। · नाथः परमशकितश्च शरण्यः सर्वकामदः ॥ "સર્વ પ્રિય વિષયોના આપનારા, દરેક જીવ માટે શરણભૂત, પરમશક્તિના નિધાન, ત્રણે ભુવનના નાથ, પરમ શાન્તિ કરનારા, એવા જિનેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવંત અમારી રક્ષા કરો.” પ્રકટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવંતનાં ગુણગાન કરવાનો આ પવિત્ર દિવસ છે. કાલે પોષ વદી દશમના દિવસે ભગવાનનું જન્મકલ્યાણક હતું. આજે ભગવાનનું દીક્ષા કલ્યાણક છે. કલ્યાણક દિવસોની આરાધના મહત્ત્વપૂર્ણ હોય છે. અહીં અપૂર્વ ઉલ્લાસ છવાયો છે આરાધનાનો. ઘરઘરમાં અને ઘટઘટમાં ભગવાન પાર્શ્વનાથનું નામ ગુંજી રહ્યું છે. ભગવાનનાં સ્મરણ, દર્શન, પૂજન અને સ્તવનથી આખું વાતાવરણ પ્રફુલ્લિત અને પ્રમુદિત થઈ ગયું છે. તમારા સૌના સાડા બાર હજાર મંત્રજાપ આજ રાત્રે પૂરા થઈ જશે. તમારા પ્રાણોની સાથે પાર્શ્વનાથનું નામ તથા તેમની મૂર્તિનું તાદાભ્ય સધાઈ જશે. આત્માને પરમાત્મા બનાવવાનો ઉપાયઃ પરંતુ આ આરાધનાના ફળસ્વરૂપે તમારે સમતાભાવને આત્મસાત્ કરવાનો છે. કર્મોના ઉદયથી આવનારાં દુઃખોને સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરવાની છે. આ બે વાતોના સહારે તમારે મોક્ષમાર્ગે અગ્રસર થવાનું છે. મરુભૂતિનો આત્મા આ બે વાતોના સહારે પાર્શ્વનાથ બની શક્યો ને? આપણે પણ એ માર્ગે ચાલીને આપણા આત્માને પરમાત્મા બનાવવાનો છે. આપણું અંતિમ લક્ષ્ય પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ છે. કારણ કે એ સ્વરૂપમાં જ પૂર્ણ સુખ છે, પૂર્ણ શાન્તિ છે, પૂર્ણ આનંદ છે. હવે આજે ભગવાનના અંતિમ દશા ભવની વાત કહેવી છે. દશમા દેવલોકમાં આયુષ્ય પૂર્ણ થાય છે અને મરુભૂતિનો આત્મા આ ભરતક્ષેત્રમાં કાશીનગરમાં અવતરિત થાય છે. એ સમયે કાશીના રાજા હતા અશ્વસેન. રાણીનું નામ હતું રામાદેવી. ચૈત્રી વદી ચૌદશનો દિવસ હતો. રાત્રિના સમયે વામાદેવી અલ્પ નિદ્રા લઈ રહ્યાં છે. તેમને ચૌદ સ્વપ્નો આવે છે. દરેક તીર્થંકરની માતાને ચૌદ સ્વપ્નો આવે છે. પર્યુષણ પ્રસંગે દરેક સ્થળે જૈનસંઘોમાં આ ચૌદ સ્વખા બતાવવામાં આવે છે ને? મોટો મહોત્સવ મનાવાય છે. સ્વખો સાચાં ને ખોટાં ઃ જ્યારે તીર્થંકરનો આત્મા દેવલોકમાંથી અવન પામે છે અને માતાના ઉદરમાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy