SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પષદશમી - પ્રવચન (૨) ૨૨૯ કરવાનો છે અને દુઃખોને સહન કરવાની શક્તિ વધારવાની છે. આ જ મુક્તિ પામવા માટેનો સીધો.. સરળ રસ્તો છે. પાર્શ્વનાથ ભગવાનની આરાધનાઉપાસના કરીને આપણે બે તત્ત્વો પામવાનો સંકલ્પ કરવો જોઈએ. ભવ - ભીલ્લા અને રાજા : અત્યાર સુધી તમે ભગવાન પાર્શ્વનાથના પાંચ ભવોનો વૃત્તાંત સાંભળ્યો. હવે છઠ્ઠા ભવની વાત સંભળાવું છું. આ જંબૂદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાં "સુગન્ધિમાં વિજયમાં "શુભંકર” નામની વિશાળ નગરી છે. એ નગરીનો રાજા હતો વજવીર્ય અને તેની રાણીનું નામ હતું લક્ષ્મીવતી. બારમા દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં મરુભૂતિના આત્માએ લક્ષ્મીવતીના પેટે અવતાર ધારણ કર્યો. લક્ષ્મીવતીએ શુભ સ્વપ્નો જોયાં. યોગ્ય સમયે તેણે પુત્રને જન્મ આપ્યો. પુત્રનું નામ આપ્યું વજનાભ જ્યારે વજનાભ યૌવનાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે તેનું લગ્ન રાજકુમારી વિજયા સાથે કરવામાં આવે છે. અનેક વર્ષો સુધી સંસાર ભોગવતા રહ્યા. તેમને એક પુત્રની પ્રાપ્તિ થાય છે. એનું નામ "ચકાયુધ” રાખવામાં આવે છે. સંસારમાં આ બધી કોઈ નવી વાતો નથી. જન્મવું, રમવું, કૂદવું, શિક્ષણ પામવું.. લગ્ન કરવું.. વૈષયિક સુખ ભોગવવું - સંતાનપ્રાપ્તિ કરવી. આ બધું સંસારનું ચક્ર છે. જ્યારે ચરિત્ર સંભળાવવું હોય ત્યારે આ બધી "રૂટીન” વાતો પણ બતાવવી પડે છે. મહત્ત્વની વાત તો હવે આવે છે, અને તે વાત છે રાજાનું તીર્થંકર ક્ષેમંકરના પરિચયમાં આવવું ! મહાવિદેહ ક્ષેત્ર છે ને? ત્યાં સદાય તીર્થકરો હોય છે. ત્યાંની પ્રજાને તીર્થંકર ભગવંતોના યોગ-સંયોગનો લાભ સુલભ હોય છે. આત્માને વિશુદ્ધ કરવા માટે, મુક્તિ પામવા માટે શ્રેષ્ઠ આલંબન છે. તીર્થકર ભગવંત, મહાવિદેહ ક્ષેત્ર આ અપેક્ષાએ ખૂબ જ મોટું પુણ્યક્ષેત્ર માનવામાં આવે છે. તીર્થકર શ્રી ક્ષેમંકર વિચરતા વિચરતા શુભંકરા નગરીમાં પધારે છે. દેવો સમવસરણ રચે છે. સમવસરણમાં બિરાજીને તીર્થંકર દેશના આપે છે. રાજા વજનાભ પણ પરિવાર સહિત ઉપદેશ સાંભળવા સમવસરણમાં આવે છે. રાજા વજનાભ દીક્ષા લે છેઃ તીર્થકર ભગવંતનો ઉપદેશ ! કેટલી મધુર... કેટલી ગંભીર અને કેટલી બ્દયસ્પર્શી હોય છે તીર્થંકરની વાણી ! દુશમન સાંભળે તો પણ પાણી પાણી થઈ જાય. શ્રદ્ધા, સ્નેહ અને ભક્તિથી સાંભળનારાઓનું ભવભ્રમણ પણ અટકી જાય. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy