SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ પર્વ-પ્રવચનમાળા બનાવી દીધું હતું. શારીરિક વેદનાથી મન ઉપર કોઈ જ અસર નહીં! વિશિષ્ટ કોટિની ધ્યાનપ્રક્રિયાથી અને દેહાધ્યાસ છૂટી જતાં મન વેદનાપ્રફ બની શકે છે. આજે તો આપણી પાસે નથી એવી બાનપ્રક્રિયા અને નથી છૂટતો દેહાધ્યાસ. કિરણવેગ મહર્ષિ સહજતાથી સમાધિમૃત્યુને ભેટ્યા. ભવ ૫ – નરક અને સ્વર્ગ તેમનો આત્મા પાર્થિવ શરીરને છોડીને બારમા દેવલોકમાં દેવ બન્યો અને આ કાલદારુણ સર્પ મરીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. એક આત્માનું ઊર્ધ્વગમન જ્યારે બીજા આત્માનું અધોગમન ! એક આત્મા સ્વર્ગનું સુખ ભોગવે છે, જ્યારે બીજો આત્મા અસંખ્ય વર્ષો સુધી ઘોર દુઃખ સહન કરે છે. અસંખ્ય વર્ષ સુધી બંને જણા એકબીજાથી દૂર રહે છે... પરંતુ પેલું પાપકર્મ- કમઠના જીવ દ્વારા કોઈ પણ સ્વરૂપે મરવાનું, એ તો એમને એમ જ મરુભૂતિના આત્મામાં એમનું એમ જ પડ્યું છે! અને આ પાપકર્મ મરભૂતિના જીવને મનુષ્ય ભવમાં જ ફળ આપે છે! માત્ર ૨૫પવાદ એક જ કે કમઠના જીવે એને તિર્યંચના હાથીના ભવમાં માર્યો. ચીકણાં કર્મ બાંધતાં ચેતોઃ કયા જન્મમાં મરુભૂતિના જીવે આટલું ચીકણું પાપકર્મ બાંધ્યું હશે ? સાનુબંધ પાપકર્મ ! જન્મ-જન્માન્તર સુધી એ અનુબંધ પડતો જ રહે છે. એક વાર એ પાપકર્મનાં ફળ ભોગવ્યા પછી પણ એ કર્મનાશ પામતું નથી. વારંવાર દુઃખદ ફળ આપે છે! એટલા માટે તીર્થકર ભગવંતોએ કહ્યું કે પાપકર્મ બાંધતી વખતે સાવધાન રહો. મોહમૂઢ બનીને પાપકર્મ ન કરો. પાપ કર્યા પછી હર્ષિત ન થાઓ. આનંદિત ન થાઓ. વારંવાર પાપજન્ય સુખને યાદ ન કરો, નહીંતર સાનુબંધ પાપકર્મ બંધાઈ જશે. જનમોજનમ એ પાપકર્મ દુઃખ આપતું રહેશે. સમતાભાવ અને સહનશીલતાઃ જો કે પાર્શ્વનાથ ભગવાનના જીવનચરિત્રમાં આ વાત જાણવા નથી મળતી કે કયા જન્મમાં તેમણે કયા પ્રકારનું પાપકર્મ બાંધ્યું! પરંતુ બાંધ્યું છે અવશ્ય. નહીંતર દશ દશ ભવ સુધી કમઠનો જીવ આ રીતે દુઃખ આપી શકે નહીં. ખેર, અજ્ઞાન દશામાં બાંધી લીધું હશે આવું પાપકર્મ! પરંતુ મરુભૂતિના ભવમાં આત્મા જાગૃત થઈ ગયો. સમતાભાવથી દુઃખ સહન કરવાની શક્તિ પામી ગયા. અને એ ભવના પછીના ભાવમાં સમતાભાવ વધતો ચાલ્યો. દુઃખ સહન કરવાની શક્તિ પણ વધતી ગઈ.. આ છે પાર્શ્વનાથ ભગવાનની ભવયાત્રાની વિશેષ ઉપલબ્ધિ !! આપણે આપણું ધ્યાન આ વિશેષ ઉપલબ્ધિ ઉપર કેન્દ્રિત કરવાનું છે. સમત્વભાવને પુષ્ટ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy