SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પોષદશમી - પ્રવચન (૨) ૨૨૭ રાજા-રાણીએ ચારિત્રધર્મ અંગીકૃત કર્યો. રાજર્ષિ કિરણવેગે પણ તેના પિતા - મુનિરાજની માફક ઘોર તપશ્ચર્યાનો માર્ગ સ્વીકાર્યો. તે દૂર સુદૂર જંગલોમાં... પહાડોમાં ચાલ્યા ગયા. ચાલતાં ચાલતાં હિમાદ્રિ પહોંચી ગયા. વિશિષ્ટ કોટિના ધ્યાનમાં નિમગ્ન બન્યા. આ બાજુ કમઠનો જીવ જે નરકમાં ગયો હતો તે ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને હિમાદ્રિના પહાડોમાં "કાલદારુણ સર્પ"ની યોનિમાં પેદા થયો. સર્પ રાજર્ષિને ડંખ દે છે ઃ અહીં એક ગંભીર વાત છુપાયેલી છે ! ધ્યાનથી સાંભળજો અને પછી ગંભીરતાથી વિચારજો. કમઠનો જીવ અસંખ્ય વર્ષ પાંચમી નરકમાં રહ્યો. આપણે જે દુઃખોની... વેદનાઓની કલ્પનાય ન કરી શકીએ એવાં ભયંકર દુઃખો તે નરકમાં સહન કરતો રહ્યો. અસંખ્ય વર્ષોમાં મરુભૂતિનું એક ક્ષણ સ્મરણ થયું નહીં હોય. જો કે નરકમાં જીવોમાં "અવધિજ્ઞાન” યા "વિભંગ જ્ઞાન” હોય જ છે. પરંતુ જ્ઞાનનો ઉપયોગ કરી લેવા માટે સમય જ હોતો નથી. દુઃખ....દુઃખ અને દુઃખ જ. ત્યાં જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકે ? અસંખ્ય વર્ષોનું અંતર પડી ગયું છે કમઠના જીવ અને મરુભૂતિના જીવના મિલનમાં; પરંતુ કમઠે પોતાના આત્મામાં વેરનાં - દ્વેષનાં બીજ એટલી ગહન રીતે વાવ્યાં છે કે... મરુભૂતિના જીવને સામે જોતાં જ (અસંખ્ય વર્ષો પછી) એ વેરભાવના જાગૃત થઈ જાય છે. હા, શરીર બંનેનાં બદલાઈ ગયાં છે; પરંતુ આત્મા તો તેના તે જ છે ને ? સારી ખોટી ભાવનાઓનો સંબંધ આત્મા સાથે હોય છે, શરીર સાથે નહીં. કાલદારુણ સાપે જેવા કિરણવેગ મહર્ષિને જોયા... કે તેનામાં ભયંકર દ્વેષભાવ પેદા થઈ ગયો. જોતાં જ દ્વેષ ! તીવ્ર દ્વેષ ! મહર્ષિના હૃદયમાં નથી તો દ્વેષ, નથી રાગ. તે તો સમભાવમાં... આત્મભાવમાં લીન છે. સંસારના કોઈ પણ જીવ પ્રત્યે એના આત્મામાં દ્વેષ નથી, પરંતુ એવું પાપકર્મ એમના આત્મામાં અવશ્ય જમા થઈને પડ્યું હતું... કે જે કર્મ કાલદારુણ સાપને ખેંચીને લઈ આવ્યું ! સાપે મુનિરાજને તીવ્રતાથી ડંખ માર્યો. પોતાનું બધું જ ઝેર મહર્ષિના શરીરમાં ઠાલવી નાખ્યું. ઝેરે તો પોતાનું કામ કરી દીધું; મુનિરાજના દ્રવ્યપ્રાણોનો નાશ થયો; પરંતુ ભાવપ્રાણોને ઝેર કશું જ ન કરી શક્યું. મુનિરાજના ભાવપ્રાણો તો અખંડ રહ્યા; નિર્મળ રહ્યા. એટલે કે સાપના હસવા છતાંય ન મુનિરાજે દ્વેષ કર્યો કે ન તો વેદનાથી તેઓ વિચલિત થયા. જ્ઞાનધ્યાનના માધ્યમથી તેમણે પોતાના મનને ‘વેદનાપ્રફ’ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy