SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ પર્વ-પ્રવચનમાળા વજનાભ તીર્થંકરની દેશના સાંભળીને રાજા વિરક્ત બને છે. વૈષયિક સુખોથી વિરક્ત બને છે. મહેલમાં આવીને તેમણે રાણીને વાત કરી. રાણી વિરક્ત બને છે. કુમાર ચક્રાયુધનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. રાજા-રાણી તીર્થંકર પરમાત્માની પાસે આવીને ચારિત્ર સ્વીકારે છે. મરુભૂતિના આત્મા માટે વિરક્ત થવું, રાજ્યવૈભવોનો ત્યાગ કરી દેવો, ચારિત્રધર્મની આરાધના કરવી, આ બધું સ્વાભાવિક લાગે છે. કોઈ રુકાવટ નહીં. કોઈ વિબ નહીં. સદગુરનું નિમિત્ત મળ્યું નથી કે સંસારનો ત્યાગ કર્યો નથી! જીવનયાત્રા સહજ અને સ્વાભાવિક બની ગઈ હતી. વજનાભ મુનિ તીર્થંકર પરમાત્માની અનુમતિ લઈને વિશિષ્ટ ધ્યાન સાધના કરવા માટે આકાશમાર્ગથી "સુકચ્છ" વિજયમાં જાય છે. સુકચ્છ વિજયના પહાડોમાં પોતાની આરાધના કરતા રહે છે. વિચરતા રહે છે. કમઠનો જીવ ભીલના ભાવમાં આ બાજુ કમઠનો જીવ છઠ્ઠી નરકમાંથી નીકળે છે. અસંખ્ય વર્ષો સુધી તેણે ઘોર દુઃખ સહન કર્યું. કેટલાક નાનામોટા ભવો પશુયોનિમાં કરીને તે આ જ સુકચ્છ વિજયમાં મનુષ્યજન્મ પામે છે, પરંતુ જન્મે છે ભીલના ઘરમાં. નકોઈ સારું શિક્ષણ, ન કોઈ સંસ્કાર. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મવાથી શું વિશેષ? મનુષ્યજન્મ પામવાનો શો અર્થ? હા, આર્યકુળમાં જન્મ, સારા ધાર્મિક સંસ્કારોવાળું કુટુંબ મળત, તો ક્ષેત્ર અને કુળનું મહત્ત્વ રહેત. આત્મવિકાસનો અવસર મળત. ભીલ પરિવારમાં આત્માના વિકાસની વાત જ ક્યાં રહી? શિકારી પરિવાર હતો. કમઠના જીવને પણ શિકાર કરવાની, ધનુષ્યબાણ ચલાવવાનું શિક્ષણ મળ્યું. જ્યારે તે જવાનીમાં આવ્યો તો શિકાર કરવા જંગલમાં જવા લાગ્યો. ભીલ, મુનિનો શિકાર કરે છે ? એક દિવસ તેણે વજનાભ રાજર્ષિને ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહેલા જોયા. તેના મનમાં દ્વેષ ઊભરાવા લાગ્યો. વેરની આગ એની આંખોમાં ભડકી ઊઠી. તેણે ધનુષ્ય ઉપર તીર ચડાવ્યું અને રાજર્ષિનું નિશાન લઈને તીર છોડ્યું. રાજર્ષિની છાતી ચીરીને તીર આરપાર ચાલ્યું ગયું. "નમો અરિહંતાણ” ના ઉચ્ચાર સાથે જમીન ઉપર ઢળી પડ્યા. સમતાભાવમાં લીન રહ્યા. પરમાત્મધ્યાનમાં નિમગ્ન રહ્યા. તેમનો કાળધર્મ થયો; સમાધિમૃત્યુ પામી ગયા. જુઓ, કેવો સંજોગ બને છે. વજનાભ મહર્ષિનો જન્મ થયો હતો સુગંધિ વિજયમાં. દીક્ષા પણ તેમને ત્યાં લીધી હતી. પરંતુ સાધના કરીને તે આકાશમાર્ગે સુકચ્છ વિજયમાં ગયા! કારણ કે જનમજનમનો શત્રુ ભીલના રૂપમાં ત્યાં મળવાનો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy