SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ પર્વ-પ્રવચનમાળા कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वती । प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥ પોતપોતાનાં ઉચિત કર્મો કરનારા કમઠ અને ધરણેન્દ્ર પ્રત્યે સમાન મનોભાવ રાખનારા શ્રી પાર્શ્વનાથ ભગવાન અમારું કલ્યાણ કરો.' કલિકાલસર્વજ્ઞશ્રી આચાર્યદિવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ આ શ્લોક દ્વારા ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાનનો શત્રુ, મિત્ર પ્રત્યે સમભાવ હતો એ વાત પ્રત્યે આચાર્ય ભગવંત આકૃષ્ટ થયા છે. ભગવાન એમના મનમાં વસી ગયા છે અને તેમણે પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી. ભગવાનનો આ સમભાવ પૂર્વજન્મની સાધનાના પરિપાકરૂપ હતો. મરુભૂતિના જન્મથી શરૂ કરીને નિરંતર સમભાવનો અભ્યાસ ચાલતો હતો. પાર્શ્વનાથના અંતિમ ભવમાં આ ભાવ પરાકાષ્ઠા પર પહોંચી ગયો હતો. મરુભૂતિના ભવમાં અને હાથીના ભવમાં તેમણે કેવું સમત્વ રાખ્યું હતું, તે આપણે જોઈ લીધું. ત્રીજો ભવ હતો દેવનો. કમઠ નરકમાં ગયો હતો. એટલે બંનેનું મિલન શકય જ ન હતું. મરુભૂતિના જીવે આઠમા દેવલોકમાં ભરપૂર સુખ ભોગવ્યું અને કમઠના જીવે નરકમાં અસંખ્ય વર્ષ સુધી ઘોર દુઃખો ભોગવ્યાં. ભવ ૪- સર્પ અને રાજા દેવલોકમાં અસંખ્ય વષનું આયુષ્ય પૂર્ણ થાય છે અને મરુભૂતિનો આત્મા મધ્યલોકમાં અવતરિત થાય છે. જંબૂદ્વીપના પૂર્વ-મહાવિદેહ ક્ષેત્રમાં “સુકચ્છ” નામનો વિજય છે (વિજય એટલે વિભાગ), ત્યાં વૈતાઢય પર્વતની ગિરિમાળા આવેલી છે. ખૂબ જ લાંબો-પહોળો છે આ વૈતાઢય પર્વત. આપણા જૈન ગ્રંથોમાં વૈતાઢય પર્વતનું વર્ણન આવે છે. રામાયણમાં ય વૈતાઢયનો ઉલ્લેખ છે. વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધર મનુષ્યોની દુનિયા વસેલી છે. સભામાંથી શું વિદ્યાધર દેવ નથી હોતા? મનુષ્ય હોય છે? મહારાજશ્રી હા, વિદ્યાધર મનુષ્ય હોય છે, દેવ નથી હોતા. એ મનુષ્યો પાસે અનેક પ્રકારની વિદ્યાશક્તિઓ હોય છે. એટલા માટે તે વિધાધર' કહેવાય છે. આ વૈતાઢય પર્વત ઉપર "તિલકપુરી” નામની નગરી છે. ત્યાંનો રાજા હતો વિદ્યુતગતિ. રાણીનું નામ હતું તિલકાવતી. એ તિલકાવતીના પેટે મરુભૂતિનો આત્મા જમ્યો. રાજકુમારનું નામ રાખવામાં આવ્યું કિરણવેગ "પદ્માવતી નામની કન્યા સાથે રાજકુમારનું લગ્ન થઈ ગયું. મહારાજા વિદ્યુતગતિએ કિરણવેગનો રાજ્યાભિષેક કરી દીધો. અને તેમણે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy