SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પોષ દશમી - પ્રવચન (૨) ૨૨૫ ગૃહવાસનો ત્યાગ કર્યો અને શ્રમણ જીવન સ્વીકારી લીધું. સભામાંથી શું વિદ્યાધરો પણ સાધુ બને છે? મહારાજશ્રી વિપુલવૈભવ અને અનેક વિદ્યાશક્તિઓ હોવા છતાં પણ વૈરાગી બની શકે છે. વૈરાગી આત્મા કયો ત્યાગ નથી કરી શકતો ? વૈરાગ્ય ચક્રવર્તીપણાનોય ત્યાગ કરાવી શકે છે ને ? દેવનો વૈરાગ્ય ત્યાગ કરાવી શકતો નથી. દેવ વૈરાગી બની શકે, પરંતુ સાધુ ન બની શકે ! અને વૈરાગ્ય ન હોય તો ભિખારી પણ સાધુ બની શકતો નથી! ભિખારી પાસે ત્યાગ કરવા જેવું શું હોય છે? તો પણ તમે એને સાધુ બનવાનું કહો તો! ના પાડી દેશે! ભલે તમે એને લલચાવવાનો પ્રયત્ન કરો. "સાધુજીવનમાં સારું ભોજન મળશે. સારાં વસ્ત્રો મળશે. રહેવા સારું મકાન મળશે...” વગેરે વાતો જણાવો. તો પણ તે સાધુ બનવા તૈયાર નહીં થાય! કારણ કે તેના મનમાં વૈષયિક સુખોનો રાગ છે! વૈષયિક સુખ પામવાની ઇચ્છાઓ હોય છે. મહારાજા વિધુતગતિએ દીક્ષા લઈને નિરતિચાર ચારિત્રધર્મની આરાધના કરી. ઉગ્ર તપશ્ચર્યા કરી. કર્મોની નિર્જરા કરી અને મોક્ષ પામી ગયા. તેમનું સંસાર-ભ્રમણ અટકી ગયું. અનંત કાળ હવે શુદ્ધ સ્વરૂપમાં રહેતાં પૂણનંદનો અનુભવ કરવાનો! ફરીથી સંસારમાં જન્મ લેવાનો નહીં! રાજા કિરણવેગ વૈરાગી બને છે? પુત્ર ઉપર પિતાની અસર પડી જ હતી. ત્યાગ અને વૈરાગ્ય કિરણવેગમાં પણ સંસ્કારના રૂપે આવી જ ગયા હતા. રાજ્યનું પાલન કરતાં કેટલાંક વર્ષો વીતી જાય છે. પદ્માવતી એક પુત્રને જન્મ આપે છે. તેનું નામ રાખવામાં આવે છે “ધરણવેગ.” એક દિવસ તિલકપુરીમાં વિજયભદ્ર નામના વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષ પધારે છે. રાજા કિરણવેગ પરિવાર સાથે આચાર્યદેવના દર્શન - વંદન કરવા જાય છે. આચાર્ય ત્યાં વૈરાગ્યપૂર્ણ ધર્મોપદેશ આપે છે. તેની અંદર ઊગેલો વૈરાગ્યનો છોડ પ્રફુલ્લિત થઈ જાય છે. ત્યાં જ તે મનોમન ગૃહત્યાગ કરીને ચારિત્ર સ્વીકારવાનો સંકલ્પ કરે સભામાંથી એક જ વ્યાખ્યાનની આટલી અસર થઈ ગઈ? અમે તો હજારો પ્રવચન સાંભળ્યાં, પરંતુ વૈરાગ્ય ઉત્પન્ન થતો જ નથી ! મહારાજશ્રી ઉપાદાન યોગ્ય હોય તો નિમિત્તની અસર સારી થાય છે - તરત જ થઈ જાય છે. આત્માની યોગ્યતા પરિપક્વ થતાં નિમિત્ત તરત જ અસર કરે છે. જે તમે લોકો તમારી યોગ્યતા પરિપક્વ કરશો તો તમે પણ વૈરાગી બની શકશો. ત્યાગના માર્ગે ચાલી શકશો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy