SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ પર્વ-પ્રવચનમાળા સૈનિક આવી પહોંચી રક્ષા કરે, એ રીતે પુણ્યકર્મ આવી તમારી રક્ષા કરશે. હાથીના ભાવમાં અવધિજ્ઞાની મુનિ મળ્યા હતા ને? સાથે અરુણાના જીવ હાથણીનું કલ્યાણ થઈ ગયું. તેનો આત્મા પણ જાગી ગયો. ન જાગ્યો એક માત્ર કમઠનો આત્મા. કુકુટ સર્પ બન્યો છેને? અતિ ઝેરી અને ઘાતક! એક દિવસે તે પણ હાથીની પાસે પહોંચી ગયો. એને પહોંચવાનું જ હતું. મરૂભૂતિને એક વાર માર્યા છતાં પણ તેનો વેરભાવ શાન્ત થયો ન હતો. અને મરુભૂતિએ તેના પૂર્વજન્મોમાં મોહવશ - અજ્ઞાનવશ કમઠના જીવનું કંઈક અહિત કર્યું હશે, કંઈક દુઃખ આપ્યું હશે! કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. સર્વે હાથીને ડંખ માર્યો. હાથીના શરીરમાં ઝેર ફેલાવા લાગ્યું. પરંતુ હાથી સાવધાન હતો. સાપની ઉપર જરાય રોષ ન કર્યો. મોતના સમયે સાવધાની રાખી. ધર્મધ્યાન કરતો રહ્યો. મરીને તેનો આત્મા દેવલોકમાં દેવ બન્યો. ભવ ૩- નરક અને સ્વર્ગ કમઠનો જીવ મરીને પાંચમી નરકમાં ઉત્પન્ન થયો. મરુભૂતિનો આત્મા આઠમા દેવલોકમાં ગયો અને અરુણાનો આત્મા દેવલોકમાં દેવી બન્યો. અરવિંદ રાજર્ષિ અષ્ટાપદ પર્વત ઉપર ચાલ્યા જાય છે. ત્યાં તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આયુષ્યકર્મ પૂર્ણ થતાં તેમનું નિવણ થાય છે. તેમની સંસારયાત્રા તો સમાપ્ત થઈ ગઈ. પરંતુ મરભૂતિ તથા કમઠની સંસારયાત્રા આગળ વધી રહી છે. એકનું ઊર્ધ્વગમન થાય છે, બીજાનું અધોગમન થાય છે! એક આત્મા સમતાથી યાતનાઓ સહે છે, બીજો તીવ્ર વેરભાવમાં યાતનાઓ વરસાવે છે. ક્યારે અને કેવી રીતે તે આગળ બતાવીશ. આજે બસ, આટલું જ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy